Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગુજરાત સરકારના મંત્રીમંડળ વિસ્તરણનું કાઉન્ટડાઉન: CM સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા,રાજ્યપાલને સોંપાશે નવા મંત્રીમંડળનું લિસ્ટ

Thu, October 16 2025

એક સપ્તાહ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી થયા બાદ હવે ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આજે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી પરત આવી પહોંચતા એકબાદ એક બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, મુખ્યમંત્રી સિવાઈ તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. સાંજે મંત્રી મંડલનું લિસ્ટ રાજ્યપળના સોંપવામાં આવશે. મંત્રીમંડળના વિસ્તરણની તારીખ 17 ઑક્ટોબર એટલે કે ધનતેરસ નક્કી કરવામાં આવી છે અને નવા મંત્રીમંડળમાં સામેલ થનારા દરેક મંત્રી 17 ઑક્ટોબરને શનિવારે બપોરે 12:39 વાગ્યાના વિજયમુહૂર્તમાં મહાત્મા મંદિરમાં શપથ લેશે તેમજ મંત્રીમંડળની સંખ્યા 23 થશે.

મુંબઈથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રીની એક બાદ એક બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ શુક્રવાર, તા :17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. શપથવિધિની તૈયારીઓનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે મુખ્યમંત્રી સિવાઈ તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. આ સૂચવે છે કે કોઈ મોટા પાયે ફેરફાર થવાના છે. CM રાજીનામાંની યાદી રાજ્યપાલને સોંપશે.  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં  સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીશ્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવરાડાવશે.

રાત્રે 8 વાગ્યે CM નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક

આજે રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળશે. સીએમ હાઉસની બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રખાશે તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જ જાણ કરવામાં આવશે.

ભાજપના ધારાસભ્યો ગાંધીનગર હાજર રહે તેવી સૂચના ગઇકાલે જ આપી દેવામાં આવી હતી ત્યારે આજે મુખ્યમંત્રી ગાંધીનગર આવી પહોંચતા બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે.  જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે બે દિવસ દરમિયાન એક બાદ એક બેઠક કરીને ગુજરાત પરત ફર્યા તે ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો હરિયાણાનો પ્રવાસને પણ ટુકવી દેવામાં આવ્યો છે. ત્યારે લાગી  રહ્યું છે કે મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે.

આ પણ વાંચો :અહો આશ્ચર્યમ! AIની મદદથી સાયબર ઠગોએ બનાવી નકલી સુપ્રીમ કોર્ટ, બે વૃધ્ધો પાસેથી રૂપિયા 7 કરોડ લૂટી લીધા

તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા

ગાંધીનગરના રાજકીય ગલિયારાઓમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બુધવારે મળતી કેબિનેટની બેઠકને એક દિવસ મોડેથી મતલબ કે ગુરૂવારે બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ બેઠક પણ બોલાવવામાં આવી નથી.  સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી. બપોરે 3 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પરત આવ્યા બાદ તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ફરી ગાંધીનગરથી તપાસ : GMSCLના ગોડાઉન અંગે કલેકટરના રિપોર્ટ બાદ એક્શન લેવાયા

મંત્રીમંડળની સંખ્યા 23 થશે

અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ટીમમાં તેમના ઉપરાંત આઠ કેબિનેટ કક્ષાના અને આઠ રાજ્યકક્ષાના મળી કુલ 17 મંત્રીઓ છે. જો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તેમજ 2027ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં `ઉભાર’ જોઈને મંત્રીઓની સંખ્યા 23 હોવાનું સૌ કોઈ કહી રહ્યા છે પરંતુ ભાજપ જ્યાં સુધી જાહેર ન કરે ત્યાં સુધી ચર્ચાને માત્ર ચર્ચા જ રહેવા દેવી જોઈએ તેવું પણ એક વર્ગ માની રહ્યો છે કેમ કે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગુજરાતના રાજકારણના દરેક પાસાની ચકાસણી કર્યા બાદ જ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા મંત્રીઓની યાદી ઉપર મંજૂરીની મ્હોર લગાવી હોવાથી હવે આ મુદ્દે સત્તાવાર જાહેરાતની રાહ જ જોવી રહી…

મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું વજન વધે તેવી શક્યતા!

ખાસ કરીને સૌરાષ્ટ્રનું `વજન’ દિવસેને દિવસે ગાંધીનગરમાં ઘટી રહેવા ઉપરાંત સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ઝંઝાવાતી પ્રચાર તેમજ સભાઓ અને તેમાં ઉમટી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રને મંત્રીમંડળમાં વધુ પ્રાધાન્ય અપાઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો પ્રભાવ પણ નવા મંત્રીમંડળમાં જોવા મળશે તેવી શક્યતા રાજકીય સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

રાજકોટમાંથી કોને તક મળશે ?

હાલ ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત છે. ભાનુબેન રાજકોટ-71ની બેઠક પરથી ચૂંટાયા છે પરંતુ દસમાંથી આઠ લોકો એવું કહી રહ્યા છે કે નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળે તેવું લાગી રહ્યું નથી ત્યારે ભાનુબેનને પડતા મુકાય તો રાજકોટમાંથી તેમના સ્થાને કોને તક મળે ? જો કે એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખી ભાનુબેનના સ્થાને રાજકોટમાંથી નહીં બલ્કે અન્ય કોઈ જિલ્લામાંથી પસંદગી થઈ શકે છે. જો આમ ન બને તો પછી ઉદય કાનગડ અથવા ડૉ.દર્શિતા શાહ મંત્રી બને તેવી શક્યતા નકારી શકાતી નથી.

હાલનું મંત્રીમંડળ

કેબિનેટ મંત્રી

ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી), કનુભાઈ દેસાઈ (નાણામંત્રી), ઋષિકેશભાઈ પટેલ (આરોગ્ય મંત્રી), રાઘવજીભાઈ પટેલ (કૃષિ મંત્રી), બલવંતસિંહ રાજપુત (ઉદ્યોગમંત્રી), કુંવરજીભાઈ બાવળિયા (પાણી પૂરવઠા મંત્રી), મુળુભાઈ બેરા (પ્રવાસન મંત્રી), ડૉ.કુબેરભાઈ ડિંડોર (આદિજાતિ વિકાસ મંત્રી), ભાનુબેન બાબરિયા (મહિલા અને બાળ વિકાસ મંત્રી)

રાજ્યકક્ષાના મંત્રી

હર્ષ સંઘવી (ગૃહ-રમત-ગમત મંત્રી), જગદીશભાઈ વિશ્વકર્મા (લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રી)-હાલના પ્રદેશ પ્રમુખ, પરસોત્તમભાઈ સોલંકી (મત્સ્યોદ્યોગ મંત્રી), બચુભાઈ ખાબડ (પંચાયત મંત્રી), મુકેશ પટેલ (વન અને પર્યાવરણ), પ્રફુલ પાનસેરિયા (શિક્ષણ મંત્રી), ભીખુસિંહ પરમાર (ખાદ્યાન્ન મંત્રી), કુંવરજીભાઈ હળપતિ (આદિજાતિ વિકાસ)

કોણ પડતું મુકાઈ શકે-કયા કારણથી ?

  • બચુ ખાબડઃ પુત્રોના કૌભાંડમાં નામ ખુલવા ઉપરાંત મંત્રી તરીકે નિષ્ક્રિયતા
  • રાઘવજી પટેલઃ નાદૂરસ્ત તબિયત
  • પરસોત્તમ સોલંકીઃ નાદૂરસ્ત તબિયત
  • જગદીશ વિશ્વકર્માઃ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હોવાથી
  • ભાનુબેન બાબરિયાઃ મંત્રી તરીકે નિષ્ક્રિયતા ઉપરાંત અન્ય મહિલા ધારાસભ્યને પ્રાધાન્યતા આપવા
  • કુંવરજી બાવળિયાઃ અન્ય કોળી ચહેરાને પ્રાધાન્ય આપવા

કોની એન્ટ્રી થઈ શકે ?

જયેશ રાદડિયા, ઉદય કાનગડ, અમિત ઠાકર, અમિત શાહ (એલિસબ્રિજથી ધારાસભ્ય), મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, રિવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, અનિરુદ્ધ દવે (માંડવી-કચ્છના ધારાસભ્ય), સંગીતા પાટીલ, અલ્પેશ ઠાકોર, સી.જે.ચાવડા

Share Article

Other Articles

Previous

પરેશ રાવલની ફિલ્મ The TAJ Storyનું ટ્રેલર રીલીઝ : શું છે તાજમહેલના 22 બંધ રૂમ પાછળનું રહસ્ય? અનેક રાઝ ખુલશે

Next

અહો આશ્ચર્યમ! AIની મદદથી સાયબર ઠગોએ બનાવી નકલી સુપ્રીમ કોર્ટ, બે વૃધ્ધો પાસેથી રૂપિયા 7 કરોડ લૂટી લીધા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ સહિત તમામ મહાપાલિકાની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર: રાજકોટની અનેક બેઠક ઉપર ફેરફાર
14 કલાક પહેલા
ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
14 કલાક પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
14 કલાક પહેલા
હવે ટ્રાફિક દંડ ભરવા માટે RTOના ધક્કા નહીં ખાવા પડે! ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2602 Posts

Related Posts

60 વર્ષના ડોસાએ પરિણીતા અને તેની આઠ વર્ષની પુત્રીની કરી છેડતી
ક્રાઇમ
12 મહિના પહેલા
દેશના અર્થતંત્ર વિષે યુનોએ શું કહ્યું ? જુઓ
બિઝનેસ
2 વર્ષ પહેલા
India vs England 3rd T20 : દર્શકો ચોગ્ગા-છગ્ગાના વરસાદની રાહ જોઇને બેઠા હતા’ને થયો વિકેટનો ઢગલો…!!
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
14 બાળાઓએ જાતે હાથ ઉપર બ્લેડ વડે કાપા કર્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર