30મી માર્ચે એક સાથે ત્રણ તહેવારોનો સંગમ : ભારતમાં એકસાથે ચૈત્રી નવરાત્રિ,ચેટીચાંદ અને રમઝાન ઇદ ઉજવાશે
આ રવિવારે એક સાથે ત્રણ તહેવારોનો સંગમ થશે, 30 માર્ચના રવિવારે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે .આ ઉપરાંત સિંધી સમાજનાં ઇષ્ટદેવતા ઝૂલેલાલ સાહેબનાં જન્મોત્સવ સાથે નૂતન વર્ષની ઉજવણી જ્યારે દાઉદી વ્હોરા સમાજ રવિવારે રમજાન ઈદની ઉજવણી કરશે.
રમજાન માસની પૂર્ણાહુતિ થઈ રહી છે. રવિવારે ચાંદ દેખાશે તો સોમવારે નહીં તો મંગળવારે રમજાન ઈદ મનાવવામાં આવશે. આખા વર્ષમાં ચાર નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર મહિનાની નવરાત્રીનો 30 માર્ચથી રવિવારે પ્રારંભ થશે. આ નવરાત્રીમાં ભક્તો દ્વારા મા જગદંબાની આરાધના માટે હવન અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
ચૈત્રી નવરાત્રી સાથે જૈન સમાજની આયંબીલ ઓળીનો પ્રારંભ થશે. સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસે જુલેલાલ સાહેબના જન્મોત્સવ ને ધામધુમથી ઉજવવામાં આવે છે ભક્તિ,સત્સંગ,કીર્તન અખંડ પાઠ સાહેબ,ભેરાણાં સાહેબ જ્યોત પ્રાગટ્ય તેમજ લંગર પ્રસાદ સાથે આયોલાલ ઝૂલેલાલના જયનાદ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.
ત્યારબાદ આગામી એપ્રિલ મહિના ની શરૂઆત સાથે રામનવમી, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિની ઉજવણી થશે. રવિવારે દાઉદી વ્હોરા સમાજ ઈદની મુબારકબાદી પાઠવશે.