જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી અને અમિતે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદી સગીરાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ તથા રાજકોટ સિટીના DCP જગદીશ બાંગરવા, ગોંડલ DySPકે.જી. ઝાલા, રાજકોટ સિટી, રૂરલના છ પીઆઈ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવતા ગાજતા પ્રકરણમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. કોર્ટ દ્વારા ફરિયાદ સંદર્ભે કોર્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મંગાવાયા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો : IND vs ENG : ઋષભ પંતે શાનદાર સદી ફટકારીને બનાવ્યો આ ‘મહાન રેકોર્ડ’, ધોની અને સાહાને પાછળ છોડ્યા
રીબડાના અમિત ખૂંટે કારમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની સગીરાએ ગત મહિને ૨-૫ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેના ત્રણ દિવસ બાદ પાંચના રોજ અમિતે તેના ગામ રીબડા ખાતે વાડીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમિતના આપઘાત કેસમાં મૃતકના ભાઈએ સ્યુસાઈડ નોટ આધારે રીબડાના અનિરૂધ્ધસિંહ, તેના પુત્ર રાજદીપ તેમજ દુષ્કર્મની ફરિયાદી સગીરા, અન્ય યુવતી તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ સંદર્ભે સગીરા તેની સખી પૂજા, એડવોકેટ દિનેશ પાતર, સંજય પંડિતની ધરપકડ કરાઈ હતી. આરોપમાં આરોપીઓ જામીન મુક્ત થતાં સામે વળતી ફરિયાદનો પલટવાર થયો છે. સગીરાએ ગોંડલ કોર્ટમાં આપેલી ફરિયાદમાં પોતે વડોદરા ઓબ્ઝર્વેન હોમમાં હતી ત્યારે જયરાજસિંહના ત્રણ માણસો જી.જે.03-એન.કે.3727 નંબરની સ્કોર્પિયોમાં આવ્યા હતા. સગીરાને ગોંડલ લઈ અવાઈ હતી. ત્યાં શ્રી હોટલમાં લઈ જઈને સગીરા તથા તેના પિતાને ધમકાવાયા હતા. જયરાજસિંહ પોતે સગીરાના ગામ તેના પિતા પાસે ગયા હતા. ગોંડલ પોલીસ સ્ટેશને ડીવાયએસપી કે.જી. ઝાલા, આઈપીએસ સીમરન ભારદ્વાજે પણ કહીએ તેમ કરવાનું કહી દબાવી હતી.
આ પણ વાંચો : ગાંધીનગરની ટીમો દ્વારા રાજકોટ જિલ્લાના 34 બ્રિજની તપાસ : રાજકોટ, ગોંડલ અને જેતપુર સબ ડિવિઝનના તમામ પુલ સલામત હોવાનો રિપોર્ટ
આ ઉપરાંત રાજકોટમાં ડીસીપી ઝોન-2જગદીશ બાંગરવા, એ-ડિવિઝન પીઆઈ રાઠોડ, પીઆઈ ભીમાણી, પીઆઈ ઓડેદરા સહિતનાએ ત્રાસ આપ્યાના ફરિયાદમાં આક્ષેપો કર્યા છે. દિગ્પાલસિંહ મહિપતસિંહ, ભોલુ સહિત ૨૮ ઈસમો સામે ગોંડલ કોર્ટમાં સગીરાએ ફરિયાદ આપી છે.
સગીરા અગાઉ તેની સખીએ ફરિયાદ નોંધાવી હતી. હવે સગીરાએ ફરિયાદ આપી છે. સગીરાએ પોતે અનિરૂધ્ધસિંહ, રાજદીપ કે રહીમ મકરાણીને ઓળખતી ન હોવાનું અગાઉ કથન કર્યું હતું. હવે અનિરૂધ્ધના વિરોધી જૂથ સામે ફરિયાદ નોંધાવતા બનાવમાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદમાં સત્ય, તથ્ય શું છે તે ચકાસવા તેમજ પુરાવા માટે કોર્ટ દ્વારા પોલી દ્વારા ઘટના સમયના સીસીટીવી ફૂટેજ મંગાવાયા હોવાનું અને 1-7-25 સુધીમાં રજૂ કરવા આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે. જો કે કોર્ટ કાર્યવાહી અંગે સત્તાવારરૂપે કંઈ જાણવા મળ્યું નથી.