ગુજરાતમાં ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીનો થશે ઉદય
પૂર્વ વડાપ્રધાનના આદર્શો અને સિદ્ધાંતો સાથે નવી રાજકીય પાર્ટીનો ઉદય
નવી રાજકીય પાર્ટીના પ્રમુખે પક્ષની રચના અને નામ અંગે વાંધા સૂચનો અંગે પબ્લિક નોટિસ પ્રસિદ્ધ કરાવી
રાજકોટ : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં હાલમાં 6 રાષ્ટ્રીય, 17 રાજ્યકક્ષાની અને 77 નોંધાયેલ રાજકીય પાર્ટીઓ ચૂંટણીપંચમાં નોંધાયેલ છે ત્યારે અમદાવાદ ખાતેથી નવા રાજકીય પક્ષ ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીનો ઉદય થવા જઈ રહ્યો છે, બીજેસીપી એટલે કે, ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંદીપ શર્માએ કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના સિદ્ધાંતો અને આદર્શ ઉપર તેમની પાર્ટી કામ કરશે. નવા રાજકીયપક્ષની સ્થાપના અંગે તેઓએ પબ્લિક નોટિસ પ્રસિદ્ધ કરાવી વાંધા સૂચનો પણ મંગાવ્યા છે.
દેશમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ એનડીએ સતાસ્થાને બિરાજમાન છે, સાથે જ વર્તમાન સમયમાં દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સાથે સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, એનસીપી સહિતના વિપક્ષ એકઝુટ છે ત્યારે ગુજરાતમાંથી નવી રાજકીય પાર્ટીઓનો ઉદય થવા જઈ રહ્યો છે. અમદાવાદના આયુર્વેદિક દવાઓના વિક્રેતા એવા સંદીપ શર્મા અને તેમના મિત્રો દ્વારા ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવા માટે ભારતીય ચૂંટણીપંચ સમક્ષ કાર્યવાહી કરવામાં આવી છે જે અન્વયે અંગ્રેજી અખબારમાં પબ્લિક નોટિસ પ્રસિદ્ધ કરાવી પાર્ટીના નામ સહિતની બાબતો અંગે વાંધા સૂચનો હોય તો ભારતીય ચૂંટણી પંચ, અશોક રોડ, નવી દિલ્હી ખાતે 30 દિવસમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીની સ્થાપના અંગે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ સંદીપ શર્માએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ દેશના પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન ચંદ્રશેખરના આદર્શ અને સિધ્ધાંતોથી પ્રભાવિત થઇ નવી રાજકીય પાર્ટી સ્થાપવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વ. ચંદ્ર શેખર 1990માં કોંગ્રેસના ટેકાથી સાત મહિના માટે વડાપ્રધાન પદે રહ્યા હતા, સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસના સમર્થનથી આ સરકારની રચના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેમણે આ સમયગાળા દરમિયાન સંરક્ષણ અને ગૃહ બાબતોના પોર્ટફોલિયો પણ સંભાળ્યા હતા. જો કે, તેમની સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરી શકી ન હતી કારણ કે 6 માર્ચ 1991ના રોજ કોંગ્રેસે તેની રચના દરમિયાન ટેકો પાછો ખેંચી લીધો હતો.[50] પરિણામે, ચંદ્ર શેખરે 15 દિવસ પછી 21 જૂનના રોજ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માત્ર સાત મહિના વડાપ્રધાન પદે રહેલા ચંદ્રશેખરના આર્થિક સલાહકાર પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ હતા.સુબ્રમણ્યમ સ્વામીએ મનમોહન સિંઘ અને મોન્ટેકસિંઘ આહલુવાલિયા સાથે મળીને આર્થિક ઉદારીકરણ પર દસ્તાવેજોની શ્રેણી તૈયાર કરી હતી પરંતુ કોંગ્રેસે સમર્થન પાછું ખેંચી લીધું હોવાથી તે સંસદમાં પસાર થઈ શક્યું ન હતું. ચન્દ્રશેખર ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના વતની હતા અને જનનાયક તરીકે ઓળખાતા હતા તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને ઈન્દીરાગાંધીએ લાદેલી કટોકટીનો વિરોધ કરી બાદમાં તેઓ જનતા પાર્ટીમાં જોડાયા હતા.