અલકાયદાનું ગુજરાત કનેક્શન : 4 આતંકી પકડાયા,ઓપરેશન સિંદૂર સમયે દેશ વિરોધી પોસ્ટ કરતા, 14 દિવસના રિમાન્ડ મંજુર
ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડ (એટીએસ)ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત સહિત દેશભરમાં હિંસક પ્રવૃત્તિ કે જેહાદ ફેલાવવાનો નાપાક મલીન ઈરાદા ધરાવતા ચાર આતંકીઓને એટીએસએ દબોચી લીધા છે. અમદાવાદમાં એક આતંકી પકડાયા બાદ ગુજરાતના મોડાસા ઉપરાંત દિલ્હી અને નોઈડા આથી વધુ ત્રણને ઉઠાવી લેવાયા હતા.

અલકાયદા સંગઠન સાથે સંકળાયેલા ચારેય આતંકીઓ સોશિયલ મીડિયા મારફતે ભારત આતંકી પકડાયા. વિરોધી પ્રવૃત્તિઓ તેમજ યુવાનોને ભડકાવવાનું તથા ફન્ડિંગ એકત્રીત કરવાનું કામ કરતા હોવાનું પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું છે. ગુજરાતમાંથી પકડાયેલા બે આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મેળવી દિલ્હી અને નોઈડાના બન્ને આતંકીના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન પાકિસ્તાન કનેક્શન અને અન્ય આતંકીઓના પણ નામ ખૂલવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. રાજકોટમાં પણ અગાઉ સોની બજારમાં કામ કરવાના સ્વાંગમાં જેહાદી પ્રવૃત્તિ ફેલાવતા આતંકીઓને એટીએસએ પકડી પાડયા હતા.

પહેલગામ હુમલા બાદ વધુ સતર્ક બનેલી ગુજરાત એટીએસ દ્વારા આવી કોઈ જેહાદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ ? તેના પર ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ મારફતે વોચ રખાતી હતી એ દરમિયાન એટીએસને માહિતી મળી હતી કે અમદાવાદના ફતેવાડી ગુલમહોર ટેનામેન્ટમાં રહેતો મોહંમદ ફરદીન, મોહંમદ રઈસ નામનો શખસ જેહાદી પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે અને અલકાયદા આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે. એટીએસની ટીમે મોહંમદ ફરદીનને ઉઠાવી લીધો હતો જેની પાસેથી અલકાયદા આતંકી સંબંધી સાહિત્ય મળી આવ્યું હતું તેમજ ઘરમાંથી તલવાર મળી આવતા કબજે લેવાઈ હતી. ઝડપાયેલા મોહંમદ ફરદીનની પૂછતાછ હાથ ધરાતા નેટવર્ક મોડાસા, દિલ્હી yor અને નોઈડા સુધી લંબાયું હતું. એટીએસની અલગ-અલગ ટીમોને અન્ય ત્રણ આતંકીઓને ઝડપી લેવા માટે દોડાવાઈ હતી.

મોડાસામાં વિનાયક ટોકિઝ પાસે ભોયવાડા વિસ્તાર ખાટકીવાડામાં રહેતા સેફુલ્લાહ કુરેશી મોહંમદ રફીકને ઝડપી લેવાયો હતો. આ ઉપરાંત દિલ્હીના ખારાસખાના વિસ્તારમાં નિર્મદારી ગલીમાં રહેતા મોહંમદ ફેક મોહંમદ રિઝવાનને એટીએસની ટીમે ઉઠાવી લીધો હતો તેમજ નોઈડામાં દોડી ગયેલી ટીમે ૭૭-છાજરાસી કોલોની, સેક્ટર નં.63માંથી ઝીસાનઅલી આસીફઅલીને ઝડપી લઈને આજે ગુજરાત લવાયા હતા. ચારેય આતંકીઓ અલકાયદા ઈન્ડિયા આતંકી જૂથ સાથે સંકળાયેલા છે.
ગુજરાત કનેક્શન સાથે સંકળાયેલા અલકાયદાના ચારેય આતંકી બાબતે આજે એટીએસના જીઆઈડી સુનિલ જોશીએ પ્રેસબ્રિફ આપી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આતંકીઓ દ્વારા સોશિયલ મીડિયા મારફતે
આ પણ વાંચો : હવે તો હદ થઈ! ગાઝિયાબાદમાં કાલ્પનિક રાષ્ટ્રની નકલી એમ્બેસીનો પર્દાફાશ : UP STFએ ફ્રોડ હર્ષવર્ધન જૈનની કરી ધરપકડ
જેહાદ, ભારત વિરોધી પ્રવૃત્તિ, હિંસા ફેલાવવા માટે આવી પોસ્ટો અને કન્ટેન વીડિયો શેર કરાતા હતા. અલગ-અલગ સોશિયલ મીડિયા ગ્રુપમાં યુવાનોને જોડવા માટે અને દેશ વિરોધી ઝેર ભરવા માટેનું નેટવર્ક ચલાવાતું હતું. ગુજરાતમાંથી પકડાયેલા મોહંમદ ફરદીન અને સેફુલ્લાહ નામના બે આતંકીને 14 દિવસના રિમાન્ડ પર લેવાયા છે. આજે સવારે દિલ્હી અને નોઈડાથી લવાયેલા અન્ય બે આતંકવાદીઓની પણ પ્રાથમિક પૂછતાછ કરાઈ હતી. તેમની પાસેથી પણ દેશદ્રોહી પ્રવૃત્તિઓ સાથેનું નાપાક સાહિત્ય મળી આવ્યું છે. આ બન્નેના પણ રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સિલાઈ કામ, રેસ્ટોરન્ટમાં કામ જેવું સામાન્ય શ્રમિક કામની આડમાં ચારેય આતંકી દેશ વિરોધી કૃત્યો કરતા હતા.
આ પણ વાંચો : MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
ઓપરેશન સિંદૂર સંબંધી કોઇ કડી છે કે નહીં તેની પણ થશે તપાસ
અલકાયદા કનેકશન ધરાવતા ચારેય આતંકીઓ પૈકી દિલ્હીના મોહંમદ ફૈકને દિલ્હીના જેહાદીઓ સાથે સંપર્ક હોવાનું ખૂલ્યું છે. પહેલગામની ઘટના બાદ પણ આતંકીઓ દ્વારા દેશદ્રોહી ગજવા-એ-હિન્દ ઉશ્કેરણી પ્રવૃત્તિઓ ચલાવાતી હતી. પાકિસ્તાનનું કનેક્શન ખૂલતા પહેલગામમાં હુમલો થયો તેના કોઈ તાર આ આતંકીઓ સાથે જોડાયેલા છે કે કેમ, ઓપરેશન સિંદૂર બાદ આતંકી પ્રવૃત્તિઓ આચરી હતી કે કેમ? સંબંધિત કોઈ કડી નથી ને ? તે બાબતે પણ એટીએસ દ્વારા ઉંડાણભરી તપાસ ચલાવાઈ રહી છે.
