અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવાઈ મુસાફરી થશે ‘મોંઘી’: વીમા પ્રીમિયમમાં થશે વધારો
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના બાદ હવે હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા છે. વીમા પ્રીમિયમના કારણે ભાડામાં બેથી પાંચ ટકાનો વધારો થઈ શકે તેમ છે. એવીએશન સેક્ટરનાં જાણકારોના જણાવ્યા અનુસાર એરલાઇન્સ દ્વારા જે ખર્ચ વધશે તેનો બોજ પેસેન્જરો પર નાખવામાં આવશે.
ઇન્સ્યોરન્સ બ્રોકર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ નરેન્દ્ર ભરીનદવાલએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી એરલાઇન વીમાકંપનીઓના વીમા પ્રીમિયમમાં વધારો થઈ શકે છે જેને સીધી અસર એરફેર પર પડશે. એર ઇન્ડિયા,આકાશા અને સ્પાઇસ જેટ બોઇંગ વિમાનોનો ઉપયોગ કરે છે. આ એરલાઇનને આગામી સમયમાં વીમા પ્રીમિયમ વધારવું પડે તેવા નિર્દેશો છે.આથી વિમાનીકંપનીઓ આ બોજ ચોક્કસ પેસેન્જરો પર નાખશે.
એવીએશન સેકટરનાં તજજ્ઞોનાં મત અનુસાર એરઇન્ડિયા પાસે 34 બોઇંગ 787 કલાસ વિમાનો છે અને 20 વધુ વિમાનોનો ઓર્ડર આપ્યો છે, આ ઉપરાંત સ્પાઇસ જેટ પાસે 737 મેક્સ 8 પણ છે.આ વિમાનોનું પ્રીમિયમ 28 મિલિયન થી 50 મિલિયન થઈ શકે છે.જો પ્રીમિયમનાં આ બમણા થવાથી ભાડામાં પણ વધારો થઈ શકે છે.એરઇન્ડિયા સહિત ડ્રિમલાઈનર બોઇંગ પ્લેનનો ઉપયોગ કરતી અન્ય કંપનીઓ તેમનાં ભાડામાં 2 થી 5 ટકાનો વધારો ઝીકી શકે છે.