અમદાવાદની મહિલા કોરોના સામે જંગ હારી : રાજકોટમાં કુલ 37 એક્ટિવ કેસ, વિયેતનામથી આવેલી મહિલા કોરોનાગ્રસ્ત
ફરી એકવાર, દેશભરમાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં રફતાર પકડી રહેલા કોરોનાથી અમદાવાદમાં પહેલું મોત થયું છે. અમદાવાદમાં દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય મહિલા કોરોના સામે જિંદગીની જંગ હારી ગયા. 23 મેના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત થયું નીપજ્યું છે.

રાજકોટમાં કોરોનાના કેસ
રાજકોટમાં પણ ધીમે ધીમે પેસારો ફેલાવ્યો છે. કોરોનાએ કૂદકો મારતા વધુ ૬ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં ગત તા.19 થી 1 જૂન સુધીમાં કુલ 37 દર્દીઓ મળ્યા છે. જેમાં ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી કોરોનાગ્રસ્ત થયા છે જેમાં ચાર દર્દી એ તો વેક્સિનના ત્રણ-ત્રણ ડોઝ લીધેલા છે.

વિયેતનામથી આવેલા 45 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત
આરોગ્ય વિભાગની માહિતી મુજબ વિયેતનામથી આવેલા વોર્ડ નં.14માં રહેતા 45 વર્ષિય સ્ત્રી કોરોનાગ્રસ્ત બન્યા છે. જ્યારે વોર્ડ નં.8ના 56 વર્ષિય પુરૂષ, વોર્ડ નં.1ના 25 વર્ષિય યુવક તેમજ વોર્ડ નં.8ના 59 વર્ષિય વૃધ્ધા અને રૈયારોડ વિસ્તારના 30 વર્ષિય મહિલા કે જેઓ શહેર છોડીને ક્યાંય ગયા નથી આમ છતાં કોરોનાના લપેટમાં આવી ગયા છે. વોર્ડ નં.10માં રહેતા બાવન વર્ષિય પુરૂષની ટ્રાવેલ હિસ્ટ્રીમાં તેઓ જામનગર ગયા હતા. ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ મળીને 6 નવા કેસ નોંધાયા છે જેમાં 33 હોમ આઈસોલેટ છે અને ચાર દર્દી સ્વસ્થ બન્યા છે. 6 કેસમાં તમામે વેક્સિનના ડોઝ લીધેલા છે તેવું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળે છે.