આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’
અમદાવાદની ઘટના પછી રાજકોટથી ઉડાન ભરતી ફલાઈટનાં ટ્રાફિકમાં ભારે ઓટ આવી છે.છેલ્લા ઘણાં મહિનાઓથી બધી ફલાઇટ્સ હાઉસફુલ થઈ ટેકઓફ થઈ રહી હતી.ગત સપ્તાહે અમદાવાદમાં પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાએ હવાઈ મુસાફરી કરનારાઓ ડરી ગયા છે.

છેલ્લા બે દિવસથી રાજકોટનાં એરટ્રાફિકમાં ધરખમ ઘટાડો આવ્યો છે.જાણવા મળ્યા મુજબ ગુરુવારએ રાજકોટથી ઉડાન ભરેલી એરઇન્ડિયાની મુંબઈની ફલાઈટમાં માત્ર 45 જેટલાં પેસેન્જરો હતા.બિઝનેસ અને ઇકોનોમી સીટ સાથેનું 320 એરક્રાફ્ટમાં કાગડા ઉડતાં હોય એવી સ્થિતિ ઉભી થઇ હતી.જ્યારે ઇન્ડિગોની આખા દિવસની 8 ફલાઇટ વચ્ચે માંડ 500 જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી હતી.
આ પણ વાંચો : દુનિયા પરમાણુ તબાહીથી થોડીક જ દૂર : રશિયાએ અમેરિકાને ઈરાન ઉપર હુમલો નહીં કરવા આપી ચેતવણી

રાજકોટથી મુંબઈ,દિલ્હી,ગોવા,બેંગ્લોર, હૈદરાબાદ, પુના,સુરત સહિત 11 ફલાઇટ નિયમિત ઉડાન ભરે છે.રાજકોટ એરપોર્ટમાં છેલ્લા 15 દિવસનો ડેટા જોઈએ તો એક દિવસમાં 4000 કરતાં પણ વધુ મુસાફરોની સંખ્યા નોંધાઇ છે,આ બનાવ બાદ છેલ્લા 3 દિવસમાં 2000 થી 2500 જેટલા પેસેન્જરો નોંધાયા છે,જ્યારે ગઈકાલે તો રાજકોટથી ઉડાન ભરતી 11 જેટલી ફલાઇટ વચ્ચે 1100 જેટલા લોકોએ આવાગમન કર્યું છે.જો કે એરલાઇન્સના અધિકારીઓ આ વિશે કહે છે કે,સમર વેકેશન પૂરું થઈ ગયું છે એટલે અત્યારે ટ્રાવેલ કરનારાઓમાં ઘટાડો આવ્યો છે,હવે ઓગસ્ટ મહિનાથી તહેવારો શરૂ થશે એટલે ફરી પેસેન્જરોની સંખ્યા વધતા ટ્રાફિક વધશે.