Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અમદાવાદની ગોઝારી ઘટના બાદ લોકોને વિમાનમાં બેસતાં લાગી રહ્યો છે ‘ડર’ : 35% પેસેન્જરોએ ટીકીટ કેન્સલ કરાવી

Thu, June 19 2025

12 જૂનનો દિવસ અને અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાથી ખાસ કરીને હવાઈમુસાફરી કરનારાઓ હતપ્રભ થઈ ગયા છે.આજે આ ઘટનાને એક સપ્તાહ વીતી ગયું છે તેમ છતાં ગભરાટ હોય 35% પેસેન્જરોએ ફલાઇટની ટીકીટ કેન્સલ કરાવી છે તો 50 ટકા લોકોએ એરઇન્ડિયાની ટિકિટનું કેન્સલેશન કર્યું હોવાનું ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું હતું.

wikipedia

અમદાવાદમાં બનેલી ગોઝારી ઘટનામાં 242 થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે.આઠ દિવસ બાદ પણ લોકોના મગજમાંથી આ ઘટના ભુલાઈ નથી.ટ્રાવેલ એજન્ટોના મત અનુસાર એર ઇન્ડિયાની ટિકિટોમાં લગભગ 50 ટકા કેન્સલેશન થયું છે તો અમુક પેસેન્જરોએ તો હવાઈ મુસાફરી કરવી જ નહિ તેવી મનોમન બાધા લઈ લીધી છે.દુર્ઘટનાઓ પછી, લોકોમાં PTSD (Post Traumatic Stress Disorder) પણ વિકસી શકે છે, જે ફોબિયા સાથે સંકળાયેલું હોઈ શકે છે.

જો ફલાઇટમાં જવું જ પડે તો એરઇન્ડિયાની ફલાઇટ સિવાય અન્ય એરલાઇન્સમાં જ જવું,ફલાઇટની મુસાફરી સૌથી સલામત છે એવું લોકો સમજે છે પણ મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનાથી હવાઈ મુસાફરી માટેનો લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે.એરઇન્ડિયાની ફલાઈટને લઈ સુરક્ષા સામે સવાલો તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામે મોટો પડકાર ઉભો થયો છે.પ્લેન ક્રેશ બાદ છેલ્લા અમુક દિવસોમાં એરઇન્ડિયાની ફલાઈટમાં જે રીતે ટેક્નિકલ ખામીઓ આવી રહી છે જેના કારણે ઉડાન રદ થઈ રહી છે એ પણ બુકીંગ કેન્સલ કરાવવાનું મોટું કારણ હોવાનું એવિએશનનાં નિષ્ણાંતો માની રહ્યા છે.


ટ્રાવેલ ઓપરેટરોના જણાવ્યા અનુસાર હાલમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં ટ્રાફિકને ઓછી અસર થઈ છે પણ ઇન્ટરનેશનલ પ્રવાસ માટે લોકો ડરી ગયા છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે એર ઇન્ડિયાને પસંદ કરતા હોય છે. જ્યારે અમદાવાદની આ ઘટના બની ત્યારબાદ ધડાધડ બુકિંગ હાલ પૂરતા કેન્સલ કરવામાં આવ્યા છે લોકો ટ્રાવેલ કરતી વખતે આઘાતમાં રહેવા ઈચ્છતા નથી.

આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના કાવતરું તો નથી ને? એજન્સીઓએ નવા એંગલથી તપાસ કરી

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર ગ્રહણ:કાશ્મીરમાં હુમલો અને પ્લેનક્રેશની ઘટનાથી ફટકો,જન્માષ્ટમીનાં બુકીંગને બ્રેક

ટ્રાવેલ એજન્ટ ફેડરેશનનાં સભ્યો કહે છે કે,ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર માઠી બેઠી છે.અગાઉ વેકેશન વખતે પહેલગામ પર ત્રાસવાદી હુમલાને પગલે પ્રવાસીઓએ ફરવા જવાના આયોજનો કેન્સલ કર્યા હતા.જેના લીધે 40 ટકા બુકીંગ એ સમયે કેન્સલ થયું હતું.જ્યારે અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાથી લોકો હચમચી ગયા છે.હાલમાં તો નિયમિત થતાં બુકીંગને અસર પહોંચી છે.જૂન મહિનાથી સાતમ આઠમ માટે ટ્રાવેલ પેકેજના બુકીંગ શરૂ થઈ જતા હોય છે જ્યારે હજુ તો ઇન્કવાયરી પણ શરૂ નથી થઈ.



ટોપ ટેનમાં ભારતની એક પણ એરલાઇન્સ નથી:એરઇન્ડિયા તો છેક 84માં ક્રમે

સ્કાયટ્રેકસ વર્લ્ડ એરલાઇનએ તાજેતરમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ટોપ 10 એરલાઇન્સમાં ભારતની એક પણ એરલાઇન કંપનીનો સમાવેશ થયો નથી. સૌથી સર્વશ્રેષ્ઠ અને ટોચની એરલાઇન્સ છે કતાર એરવેઝ.જ્યારે એરઇન્ડિયાનું નામ છેલ્લા ક્રમે 84મુ સ્થાન છે તો ઇન્ડિગોએ તેના માપદંડને સુધારતાં 40માંથી 39 માં ક્રમે આવી છે,ત્યારબાદ સ્પાઇસ જેટ અને અકાસાનો નંબર આવે છે.

Share Article

Other Articles

Previous

કેન્સર અને કોરોનાગ્રસ્ત રાજકોટના 69 વર્ષીય વૃદ્ધાનું મોત : અઝરબૈઝાન-દુબઈથી આવેલા 2 સહિત 9 લોકોને કોરોના  

Next

અમદાવાદ વિમાન દુર્ઘટના કાવતરું તો નથી ને? એજન્સીઓએ નવા એંગલથી તપાસ કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
7 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
7 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
7 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
7 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને રગદોળ્યું
સ્પોર્ટ્સ
12 મહિના પહેલા
નેપાળમાં ઘાતક પૂરની તબાહીમાં કેટલા મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટમાં આઝાદ ચોક રૈયા રોડ પાસે જીઓના ટાવરમાં લાગી આગ
Breaking
2 વર્ષ પહેલા
અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત:દાણીલીમડા વિસ્તારની 47 વર્ષીય મહિલા જંગ હારી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર