Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ

Sat, March 7 2026

સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકીય સન્યાસ લીધો છે. પોતાની રાજકીય કારકિર્દીમાંથી સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી યોજવાની છે જેની તૈયારીઓ પણ તમામ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચુંટણી પહેલા જ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકીય સન્યાસ લઈ લેતા અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે.

ઇન્દ્રનીલ રાજકોટ-68માંથી ધારાસભ્ય બન્યા હતા

ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને જૂના કોંગ્રેસી નેતા છે ત્યારે તેમણે રાજકારણમાંથી નિવૃતિની જાહેરાત કરતાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. રાજકોટ-68માંથી ધારાસભ્ય બન્યા હતા અને બીજી વખત રાજકોટ-69માં વિજયભાઈ સામે ચૂંટણી લડીને હાર્યા હતા.આ પછી થોડો સમય આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને છેવટે કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. અનેક મોટા નેતાઓ સાથે ઘરોબો ધરાવનાર ઇન્દ્રનીલ રાજગુરુએ હવે સન્યાસ લેવાની જાહેરાત કરીને ઘણાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

નિવૃતિ અંગે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી

ઇન્દ્રનીલ રાજગુરુએ પોતાની રાજકીય નિવૃતિ અંગે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે હવે તેઓ સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપશે નહીં. જોકે જરૂર પડશે ત્યારે તેઓ કોંગ્રેસ પક્ષને માનસિક કે આર્થિક મદદ કરવા તૈયાર રહેશે.

રાજકોટ કોંગ્રેસના મજબૂત નેતા તરીકે ઓળખાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા રચાયેલી 7 અલગ-અલગ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું, જેને કારણે આ નિર્ણયને લઈ રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ છે.

રાજકોટ મહાપાલિકાની ચુંટણી

રાજકોટ મહાપાલિકાના શાસકોની ચાલુ ટર્મ પૂર્ણ થવા આડે હવે પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે 11 માર્ચે સાંજે છ વાગ્યાથી વહીવટદારનું શાસન લાગુ પડી જશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકે પોતાની ઓફિસ ખાલી કરવી પડશે સાથે સાથે કાર પણ જમા કરાવી દેવાની રહેશે સાથે સાથે તમામ સમિતિના ચેરમેને પણ ઓફિસ છોડવી પડશે. આ સાથે જ મહાપાલિકા દ્વારા આવનારી ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. 2026ની આ ચૂંટણી 5 કરોડથી વધુના ખર્ચે યોજાશે ત્યારે ખાસ વાત એ છે કે આ વખતે નવા 1 લાખ મતદાર તેમજ 300 નવા બૂથનો ઉમેરો કરવામાં આવશે.

આ અંગે અધિકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે 25 માર્ચે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ 26 અથવા 27 માર્ચે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાપાલિકાની ચૂંટણીઓની તારીખોનું એલાન કરી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ચૂંટણી જાહેર થયા બાદ તાત્કાલિક આચરસંહિતા લાગુ પડી જશે જે 1 મહિનો અમલી રહ્યા બાદ 27 એપ્રિલ આસપાસ મતદાન થઈ શકે છે.

આ સઘળી શક્યતાઓને ધ્યાનમાં રાખી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. 2021માં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં 800 મથક ઉપર મતદાન કરવામાં આવ્યું હતું. જો કે શહેરની વસતીમાં વધારો થયો હોવાથી મતદારો પણ વધી ગયા છે ત્યારે આ ચૂંટણીમાં મતદાન મથકની સંખ્યામાં 300નો વધારો થઈ 1100 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ગત ચૂંટણીમાં 10 લાખ જેટલા મતદારો નોંધાયા હતા જેની સામે આ વખતે મતદારોની સંખ્યા 12થી 13 લાખે પહોંચી શકે છે.

એસ.આઈ.આર.ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કલેક્ટર તંત્ર દ્વારા વિધાનસભાવાઈઝ મતદારોની સંખ્યા જાહેર કરી હતી પરંતુ મહાપાલિકા હવે વોર્ડવાઈઝ યાદી તૈયાર કરશે સાથે સાથે અમુક વોર્ડ જેમાં 1, 2, 3, 18 સહિતના બાઉન્ડ્રી લાઈન પર આવેલા હોવાથી ત્યાંના મતદારોમાં કોઈ બહારનું અંદર ઘૂસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

વળી, એક મતદાન બૂથમાં વધુમાં વધુ 1200 મતદારોનો જ સમાવેશ કરવો તેવો નિયમ હોવાથી મતદારોની વધી ગયેલી સંખ્યાને ધ્યાનમાં રાખી બૂથમાં 300 જેટલો વધારો થઈ જશે. ચૂંટણી માટે 4 રિટર્નિંગ ઓફિસર ઉપરાંત આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવશે જે ચૂંટણીમાં થનારા ખર્ચ ઉપર બાજનજર રાખશે. આ ચૂંટણી મહાપાલિકાએ પોતાના ખર્ચે કરવાની હોવાથી સરકાર દ્વારા કોઈ જ ગ્રાન્ટ આપવામાં આવશે નહીં. મતદાન મથકો ઉપર ટેબલ, પેન્સીલ, રબ્બર, અન્ય પ્રકારની તમામ સ્ટેશનરી સહિતની વ્યવસ્થા ઉપરાંત મતદાન કાપલી સહિતનું પ્રિન્ટીંગ મહાપાલિકા પોતાના ખર્ચે જ કરાવશે.

આ પણ વાંચો :અછતની અફવા : પેટ્રોલ-ડીઝલની ગભરાટભરી ખરીદી બાદ ઓઈલ કંપનીઓએ સ્પષ્ટતા કરવી પડી, પેટ્રોલ પંપ ઉપર ભીડ ન કરવા લોકોને અપીલ

મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું, આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વની: તમામ અધિકારીઓ હાજર રહે

તાજેતરમાં જ Election Commission of Gujarat ના મુખ્ય ચૂંટણી કમિશનર S. Murali Krishna દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનરો તેમજ કલેક્ટરો સાથે ચૂંટણી અંતર્ગત વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અમુક કમિશનર તેમજ કલેક્ટર ગેરહાજર હોવાથી તેની ગંભીરતાપૂર્વક નોંધ લઈ જણાવ્યું હતું કે આ ચૂંટણી ખૂબ જ મહત્ત્વની હોવાથી આવનારી બેઠકમાં તમામ અધિકારીઓએ હાજર રહેવું જ પડશે. આ ઉપરાંત કોઈ અધિકારી ગાંધીનગર આવ્યા હોય આ બેઠકમાં હાજર ન રહી શકે તેમ હોય તો તેમણે રૂબરૂ મુલાકાત કરવાની રહેશે સાથે સાથે કોઈ અન્ય કારણસર ગેરહાજર હોય તો જાણ કરવાની રહેશે.

મતદાન મથક ઉભા કરવા સ્કૂલ સહિતની શોધ’ શરૂ

પાણી સહિતની વ્યવસ્થા હોવી જરૂરી મતદાન મથકની સંખ્યામાં 300 જેવો માતબર વધારો થવાનો હોવાથી મહાપાલિકા દ્વારા આ દિશામાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સ્કૂલ્સમાં મથક ઉભું કરવા પર ભાર અપાઈ રહ્યો છે પરંતુ જ્યાં મતદાન મથક ઉભું કરાય ત્યાં પાણી સહિતની વ્યવસ્થા હોવી જરૂરી હોવાથી આ પ્રકારની સ્કૂલની શોધ’ હાલ ચાલી રહી છે.

Share Article

Other Articles

Previous

Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો

Next

પત્રકાર રામચંદ્રની હ*ત્યાના કેસમાં બાબા રામ રહીમ નિર્દોષ જાહેર: હાઇકોર્ટે આજીવન કેદની સજા રદ કરી,જાણો પત્રકાર કોણ હતો?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટના કોઠારિયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, AC અને નોન AC હોલની સગવડ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે
23 મિનિટutes પહેલા
રાજકોટમાં વધુ એક દુ*ષ્કર્મનો બનાવ: ફેસબુકથી સંપર્કમાં આવ્યા બાદ કથિત પોલીસમેને યુવતી પર કુકર્મ ગુજારી સંપર્ક તોડી નાખ્યો
42 મિનિટutes પહેલા
Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
53 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2962 Posts

Related Posts

રાજકોટ : વોર્ડ નં.૩ના પરસાણા પાર્કમાં મહર્ષિ સ્કૂલ સીલ, ૧.૬૮ લાખનો મિલકતવેરો ન ભરતાં મહાપાલિકાની કાર્યવાહી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લંડનમાં દસ વર્ષની પુત્રીની ક્રૂર હત્યા કરી રાક્ષસ પિતા પાકિસ્તાન ભાગી ગયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અંબાણી પરિવારના ઘરે આવ્યો રૂડો અવસર…14 જુલાઈ સુધી ચાલશે વેડિંગ ફંક્શન, વાંચો લગ્ન સમારોહનું શેડ્યૂલ
Entertainment
2 વર્ષ પહેલા
અયોધ્યા જવા અંગે મમતા બેનર્જીનું વલણ શું છે ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર