ગાંધીનગર નજીક રાંધેજા પાસે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઇ: 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
ગાંધીનગરના રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.
રાજ્યમાં અકસ્માતની બનતી ઘટનામાં ગાંધીનગર પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે એક ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એક કારમાં 6 લોકો માણસાથી પેથાપુર ખાતે ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ જોઈને પેથાપુર જતાં સમયે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઇ હતી અને કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.