મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલ્ટી મારી જતા 16 લોકોને ઇજા : દ્વારકા પૂનમ દર્શન માટે યાત્રિકો જતા હતા, બસ ચાલક ફરાર
મોરબી તાલુકાના આમરણ ગામ પાસે હાઈવે પર રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શન માટે જતી સરદાર ટ્રાવેલ્સની ખાનગી બસ ચાલકની બેદરકારી અને પૂરઝડપના કારણે પલટી મારી ગઈ હતી. બસમાં સવાર 35 યાત્રિકોમાંથી 16 લોકોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે મોરબી અને રાજકોટની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
વધુ માહિતી મુજબ મહેસાણા હાઈવે રોડ પર પસાભાઈ પેટ્રોલપંપ પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પરેશભાઈ નારણભાઈ આલ (36)એ બસ ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, 11 ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે મહેસાણા મોઢેરા ચોકડી પાસેથી યાત્રિકો દ્વારકા પૂનમ દર્શન માટે નીકળ્યા હતા. મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે હાઈવે રોડ ઉપર હતા ત્યારે તા.12/2 ના રાત્રિના બે વાગ્યે રોડ ઉપર બસના ચાલક જેનુ નામ આવડતું નથી તેને આમરણ નજીક પોતાના હવાલા વાળી ટ્રાવેલ્સ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી હતી અને ટ્રાવેલ્સ બસને પલટી ખવડાવી દીધી હતી.

આ ઘટનામાં પેસેન્જરને નાની મોટી ઈજાઓ થઈ હતી અને તે બસ ચાલક અકસ્માત બાદ બસ મુકીને ત્યાંથી ભાગી ગયો છે. આ ઘટના ઇજા પામેલા લોકોને 108 મારફતે અલગ અલગ જગ્યાએ મોરબી સરકારી હોસ્પીટલ, મોરબીની ખાનગી હોસ્પીટલ તેમજ રાજકોટની ખાનગી હોસ્પીટલમા સારવાર માટે લઈ ગયા હતા. હાલ પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કારેલ છે.
અકસ્માતમાં ઘવાયેલાઓના નામ :
ભીખીબેન દેસાઈ, ઉર્વશીબેન દેસાઈ, તળીબેન દેસાઈ, અમીશાબેન દેસાઈ, જીવતબેન દેસાઈ, પ્રેમિલાબેન પટેલ, ગંગાબેન રબારી, મમતાબેન પટેલ, પ્રતિક્ષાબેન પટેલ, સુનીતાબેન પટેલ, ગીતાબેન રબારી, શંભુભાઈ રબારી, ક્રિષ્ણાબેન રબારી, ચંપાબેન રબારી અને પૂજાબેન રબારી સહિતના લોકોનો સમાવેશ થાય છે. પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.