રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી : રાજકોટ જિલ્લા કલેકટરની ગાંધીનગર બદલી, ઓમપ્રકાશ બન્યા નવા કલેકટર
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે 13 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યાસ્સ છે જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની ગાંધીનગર બદલી કરવામાં આવી છે. રાજકોટ કલેકટર તરીકે જૂનાગઢ મ્યુનિસિપલકમિશનર ઓમપ્રકાશ મુકાયા છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે મંગળવારે મોડી સાંજે 13 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યા હતા જેમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની ગાંધીનગર ગુજરાત ટુરિઝમના એમડી તરીકે બદલી કરી તેમના સ્થાને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશને રાજકોટ જિલ્લા કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Leeds Test : બુમરાહ-સિરાજ-જાડેજા પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક, 73 વર્ષ જૂના મેગા રેકોર્ડને તોડી શકશે ત્રણેય બોલર?

આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વની કુમાર, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રમેશચંદ મીના, રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના એન.થેનારાશન, મિલિદ તોરવણે, આરતી કંવર, જેનું દેવન, પુજીવીસીએલના એમડી તેજસ પરમાર, પંચમહાલ કલેકટર આપીશકુમાર, સુથાર રાજ રમેશચંદ્ર, અંકિત પત્તું અને પાટીલ આનંદ અશોકની બદલી કરવા હુકમ કરાયો હતો.