પિતાનું સ્વપન, પુત્રીની સાધનાઃ માત્ર 15 વર્ષની વયે તૃષ્ટિ પટેલનો આરંગેત્રમ સાથે મંચપ્રવેશ
રાજકોટનાં તબીબદંપતીની પુત્રીને મળી પનૃત્યાંગનાથની પદવી, કલાગુરૂ વિનસ ઓઝા અને
હેતલ મકવાણાની પ્રેરણા હેઠળ ખીલેલી પ્રતિભાએ `ભરતનાટ્યમ’ સાથે સ્પર્શ્યું સિદ્ધિનું શિખર
સંગીત અને નૃત્ય જેવી કલાઓ માત્ર અભિવ્યક્તિનો માધ્યમ નથી, પરંતુ તે સંસ્કૃતિના આત્માની જીવંત અભિવ્યક્તિ છે. જ્યારે આજના યુગમાં યુવાનો આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે રાજકોટના તબીબ દંપતીની માત્ર 15 વર્ષની પુત્રીએ પોતાની અડગ મહેનત, સમર્પણ અને કલાપ્રેમથી ભરતનાટ્યમના પવિત્ર મંચ પર આરંગેત્રમ દ્વારા મંચ પ્રવેશ કરી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ આરંગેત્રમ માત્ર એક પ્રસ્તુતિ નહોતું, પરંતુ સંસ્કાર, પરંપરા અને અથાગ અભ્યાસની સુગંધથી મહેકતું એક યાદગાર પળ બની રહ્યું. નાની ઉંમરે આકર્ષક અભિનય, લય અને ભાવભંગિમા દ્વારા તેણે ભારતીય શાસ્ત્રીય નૃત્યની ગૌરવમય પરંપરાને ઉજાગર કરી, સાથે જ શહેર અને પરિવારનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે.
તાજેતરમાં મંચપ્રવેશ સાથે તૃષ્ટિને કલાગુરૂ વિનસ ઓઝા અને હેતલ મકવાણાનાં હસ્તે નૃત્યાંગના'ની પદવી એનાયત કરવામાં આવી હતી, જે તેની વર્ષો સુધીની અથાગ સાધનાનો ગૌરવમય પરિચય છે.વોઈસ ઓફ ડે’ ની શુભેચ્છા મુલાકાતમાં તૃષ્ટિએ ભાવુકતાપૂર્વક જણાવ્યું કે, “મારી આ કલાને મંચ સુધી પહોંચાડવામાં મારા મમ્મી ડો. અમિતા અને ડો. જયેશ પટેલની સૌથી મોટી ભૂમિકા રહી છે. તેમના પ્રોત્સાહન અને વિશ્વાસે જ મને આ સ્થાન સુધી પહોંચાડી છે.”
માત્ર 8 વર્ષની ઉંમરે તેણે ભરતનાટ્યમની શરૂઆત કરી અને ભરતનાટ્યમ નૃત્યશૈલીમાં અંલકાર એમ.એ. કલાગુરૂ વિનસ ઓઝા અને હેતલ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોતાની કલાને ઘડતી ગઈ. અભ્યાસ સાથે
સાથે એસ.એન.કે.ની વિદ્યાર્થીની તૃષ્ટિએ વોલીબોલ અને ટ્રેિંકગમાં પણ વિશેષ રસ દર્શાવ્યો છે, તેમજ ત્રણેય ભાષાની મુખપાઠ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
મોટી બહેન મૈત્રી પટેલ, જે હાલમાં મેડિકલ સ્ટુડન્ટ છે, તેના પગલે ચાલી તૃષ્ટિને ઓલ રાઉન્ડ એક્સેલન્સ એવોર્ડ પણ મળ્યો છે. નાની વયે જ આરંગેત્રમ સાથે મંચપ્રવેશ કરીને તૃષ્ટિએ સાબિત કર્યું છે કે જ્યારે સ્વપનો સાથે મહેનત અને સંસ્કાર જોડાય, ત્યારે ઉંમર માત્ર એક આંકડો બની રહે છે અને સિદ્ધિઓ નવા આકાશને સ્પર્શવા લાગે છે.તૃષ્ટિ આજે માત્ર એક નૃત્યાંગના નથી બની, આ કાર્યક્રમમાં વાદ્યવૃંદમાં નટુઆંગમ
કલાગુરૂ ચંદન ઠાકોર, ગાયકા સિંધુ બાલરાજ મૃદંગમ શ્રીનિવાસ રાઘવન, વાયોલિન વાદક ફેનિલ સોની રહ્યા હતા. તૃષ્ટિને તૈયાર કરવા માટે મેક અપ મેન આકાશ તપોધન હતા. પરંતુ આવનારા સમયમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યના આકાશમાં તેજસ્વી તારો બનવાની દિશામાં આગળ વધી રહી છે.
કથ્થક' શીખવા ગયેલી તૃષ્ટિએભરતનાટ્યમ`માં કલાસાધના શરૂ કરી
મમ્મી ડો. અમિતા પટેલની ઈચ્છા હતી કે અભ્યાસની સાથે તેમની દીકરી કોઈ એક કલામાં પણ પારંગત બને. આ ઈચ્છાને સાકાર કરવા માટે તેમણે તૃષ્ટિને માત્ર 7 વર્ષની નાની ઉંમરે કથ્થક શીખવા માટે ક્લાસ શરૂ કરાવ્યા. જોકે, તે સમયે તૃષ્ટિ ખૂબ નાની હોવાને કારણે ક્લાસમાં સહજતા અનુભવતી નહોતી અને રડવા લાગી. તૃષ્ટિની ભાવનાને સમજી ગુરૂએ સલાહ આપી કે એક વર્ષ પછી ફરીથી પ્રયત્ન કરવો.ત્યારબાદ, એક વર્ષ પછી જ્યારે તૃષ્ટિને ભરતનાટ્યમના ક્લાસમાં દાખલ કરવામાં આવી, ત્યારે આ નૃત્યશૈલી પ્રત્યે તેનો સ્વાભાવિક લગાવ જોવા મળ્યો. ઘુંઘરૂના તાલ ને ભાષાએ તેને એટલી આકર્ષી કે ત્યાંથી તેની કલાસાધનાની સફર શરૂ થઈ, જે આજે આરંગેત્રમ જેવી ગૌરવમય સિદ્ધિ સુધી પહોંચી છે.
