અમદાવાદમાં IPS અધિકારીના પત્નીએ આપઘાત કરતાં ચકચાર:
-મરીન ફોર્સમાં DCP રાજેન સુસરાના પત્નીએ ગળાફાંસો ખાધો
-આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ
અમદાવાદ
અમદાવાદમાં રહેતા અને હાલમાં વલસાડ ખાતે મરીન સિક્યુરિટી,આ એસ.પી.તરીકે ફરજ બજાવતા IPS અધિકારી રાજેન સુસરાની પત્નીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અમદાવાદના થલતેજ ખાતે રહેતા IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેને આપઘાત કરી લીધો છે. હજી એક મહિના પહેલા જ લગ્નની 31 મી વર્ષગાંઠ ઉજવ્યા બાદ હવે તેમણે અચાનક જીવન ટૂંકાવી લીધું છે. આ તરફ હજી સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈ બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોચી ગયા હતા.
ગઈકાલે સુરતમાં લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યાંથી પરત આવ્યા બાદ આ ઘટના બની છે. આપઘાત કરવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. શાલુબેન અને IPS સુસરા સુરત લગ્ન પ્રસંગમાં સાથે હતા. ગઈકાલે સુરતથી સુસરા વહેલા આવી ગયા હતા, જોકે શાલુ બેન રાત્રે આવ્યા હતા.
થલતેજના શાંગ્રિલા બંગલોમાં IPS આર.ટી.સુસરા પરિવાર સાથે રહે છે. જોકે આજે અચાનક તેમના પત્નીએ આપઘાત કરી લેતા પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.