વર્લ્ડકપ વિજેતા ટીમને ૩૩ કરોડ, રનર્સ અપને ૧૬.૬૫ કરોડ રૂપિયા મળશે
વર્લ્ડ કપ હવે અતિમ તબક્કામાં છે. ૪૬ દિવસના આ મોટા ઈવેન્ટમાં ભારતમા ૪૭ મેચ રમાઈ છે. હવે છેલ્લી અને અતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાશે. આ મેચમાં ભારત અને ઓસ્ટે્રલિયાની ટીમો આમને-સામને થશે.
આઈસીસીએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. તેણે ટુર્નામેન્ટ માટે રૂ. ૮૩.૨૯ કરોડ (૧૦ મિલિયન)નું બજેટ નક્કી કર્યું હતુ. તેમાંથી વિજેતા ટીમને ૩૩.૩૧ કરોડ રૂપિયા (ચાર મિલિયન યુએસ ડોલર) મળશે. સાથે જ ફાઈનલમાં હારનારી ટીમને ૧૬.૬૫ કરોડ રૂપિયા (બે મિલિયન યુએસ ડોલર)થી સતોષ માનવો પડશે.
સેમિફાઇનલમાં હારેલી ટીમોને રૂ. ૬.૬૬ કરોડ (૮૦૦,૦૦૦) મળ્યા હતા. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ગ્રૂપ રાઉન્ડમા બહાર થઈ ગયેલી છ ટીમો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડને પણ પૈસા મળ્યા છે. આ છ ટીમોને રૂ. ૮૩.૨૯ લાખ (૧૦૦,૦૦૦) મળ્યા હતા.