ગુજરાત ટાઇટન્સ માટે માઠા સમાચાર : રાશિદ ખાનના રમવા પર સસ્પેન્સ
રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વાસ્તવમાં રાશિદ ખાન સર્જરી બાદ રિહૈબમાંથી પસાર થઈ રહ્યો છે. રાશિદ ખાનની ઈજાના કારણે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સનું ટેન્શન વધી ગયું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું રાશિદ ખાન IPL સુધી ફિટ રહેશે? શું રાશિદ ખાન આઇપીએલની આગામી સીઝનમાં રમતો જોવા મળશે? રાશિદ ખાને ગયા વર્ષે નવેમ્બરમાં સર્જરી કરાવી હતી. આ પછી માનવામાં આવી રહ્યું હતું કે તે જલ્દી જ વાપસી કરી શકે છે, પરંતુ તે ભારત સામેની 3 ટી20 સીરીઝમાં રમી શક્યો નહોતો.
અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે કહ્યું કે અમે રાશિદ ખાનની વાપસીને લઈને ઉતાવળ કરી રહ્યા નથી. તે અમારા માટે મોટો ખેલાડી છે. અમે પહેલા ઈચ્છીએ છીએ કે રાશિદ ખાન સંપૂર્ણ રીતે ફિટ થઇ જાય જેથી આવનારા દિવસોમાં આવી ઈજાઓથી બચી શકાય. તે ફિટ થયા બાદ જલદી જ ગ્રાઉન્ડ પર જોવા મળશે. જો કે, આ પહેલા રાશિદ ખાન ડૉક્ટરને મળીને જાણવા માંગે છે કે બધું બરાબર છે. તે ટૂંક સમયમાં મેદાન પર પરત ફરી શકે છે, પરંતુ અમે કંઈપણ ઉતાવળ કરવા માંગતા નથી.
IPLમાં રાશિદ ખાનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સનો એક ભાગ છે. જો રાશિદ ખાન IPL સુધી ફિટ નહીં થાય તો ગુજરાત ટાઇટન્સ માટે આ એક મોટો ફટકો માનવામાં આવશે. વાસ્તવમાં હરાજી પહેલા હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. આ પછી શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ હવે જો રાશિદ ખાન રમી શકશે નહીં તો ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધી શકે છે.
ગયા વર્ષના ODI વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ વિરાટ કોહલીને ICC ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી ચોથી વખત આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે. 2023 પહેલા વિરાટ કોહલી 2012, 2017 અને 2018માં ICC ODI ક્રિકેટર ઓફ ધ યર બની ચૂક્યો છે. તાજેતરમાં જ વિરાટ કોહલીને ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલીના પ્રદર્શનનું જ પરિણામ હતું કે ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી