જાડેજાએ ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ લેતા pmએ કર્યું ટ્વિટ
સ્ટાર ઓલ રાઉન્ડરના કર્યા વખાણ: ભવિષ્ય માટે પાઠવી શુભકામના
ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ટી-20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. આ સમયે દેશના વડાપ્રધાન મોદીએ રવિન્દ્ર જાડેજાની નિવૃતિ પર પોસ્ટ કરી જાડેજાના વખાણ કર્યા હતા.
ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ટી-20 ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. હવે આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાયો હતો. ભારતના 3 મોટા ખેલાડીઓએ ટી-20 વર્લ્ડકપ બાદ આ ફોર્મેટને અલવિદા કર્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટમાં લખ્યું હતું કે, પ્રિય રવિન્દ્ર જાડેજા, તમે ઓલ રાઉન્ડર તરીકે શાનદાર રમત બતાવી છે. તમારા ક્રિકેટ ચાહકો તમારી સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગના દિવાના છે, ટી-20 ફોર્મેટમાં તમારા યોગદાન બદલ આભાર. આ સાથે વડાપ્રધાને જાડેજાને ભવિષ્ય માટે શુભકામના પણ પાઠવી હતી.