રોહિતની મુંબઈ સાથે આ છેલ્લી સીઝન !
ટૂર્નામેન્ટ પૂરી થતાં જ કહી દેશે અલવિદા; મુંબઈના ખેલાડીએ જ કર્યો દાવો
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ શું છે તે બધાની સામે છે. ટીમે દૂર્દશાનું એક નવું જ સ્તર હાંસલ કરી લીધું છે. એક તો ત્રણ મેચમાં હાર, ઉપરથી મેદાન ઉપર થઈ રહેલા અટપટા નિર્ણય સાથે સાથે ટીમની બદનામી ! દરેક મુકાબલામાં હાર્દિક હાય…હાય…ના સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. આ બધાની પૂર્વ કેપ્ટન રોહિત શર્મા બહુ જ નિરાશ છે. સૂત્રોના હવાલાથી અહેવાલ મળી રહ્યા છે કે રોહિત આઈપીએલ-૧૮થી મુંબઈને અલવિદા કહી શકે છે.
મુંબઈના જ એક ખેલાડીએ જણાવ્યું કે જે પ્રકારે અત્યાર સુધી હાર્દિકે ટીમની કમાન સંભાળી છે તેનાથી રોહિત જરા પણ ખુશ નથી. બન્ને ખેલાડીઓ વચ્ચે અનેક મુદ્દે સહમતિ સધાઈ રહી નથી જેના કારણે ડે્રસિંગ રૂમનો માહોલ સતત બગડી રહ્યો છે.
વાનખેડેના દર્શકોએ ટીમ માલિકોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કેપ્ટનશિપમાં કરાયેલા નિર્ણયોને લઈને લોકોનો મત શું છે. જ્યાં એક વર્ગ મુંબઈમાં હાર્દિકની વાપસીથી નારાજ હતો તો એક વર્ગ એવો પણ હતો જે રોહિત પાસેથી કમાન ખૂંચવીને પંડ્યાને સોંપાવાથી નારાજ થયો હતો. મુંબઈનું મેનેજમેન્ટ સ્થિતિને નિયંત્રિત કરી શકતું હતું પરંતુ એવું બન્યું નથી. અગાઉ આરસીબીએ વિરાટ અને ચેન્નાઈએ ધોની મામલે નિર્ણય લીધા હતા તેવા નિર્ણય મુંબઈ પણ લઈ શકતું હતું પરંતુ હવે સમય રહ્યો નથી.
મુંબઈ મેનેજમેન્ટ હાર્દિક માટે એક સીઝન અને ઈન્તેજાર કરી શકતું હતું પરંતુ તેણે ઉતાવળે હાર્દિકને કેપ્ટન બનાવી દીધો હતો જે નિર્ણય બિલકુલ યોગ્ય નથી.