ભારત-ઑસ્ટે્રલિયાની ટીમ ૨૫ સપ્ટેમ્બરે રાજકોટ આવશે, ૨૭ સપ્ટેમ્બરે એસસીએ સ્ટેડિયમ પર મુકાબલો: આ વખતે ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાની ટિકિટ નહીં મળે: ૧૫૦૦થી ૧૦,૦૦૦ સુધી ટિકિટનો ભાવ: પેટીએમ એપ ઉપરથી ટિકિટ બુક કરી શકાશે
આગામી ૨૭ સપ્ટેમ્બરે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે વન-ડે મુકાબલો રમાવાનો છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ આ મેચ માટે રવિવારથી ટિકિટનું વેચાણ શરૂ થનાર હોવાની જાહેરાત એસસીએ દ્વારા કરવામાં આવી છે.
એસસીએ દ્વારા જણાવ્યા પ્રમાણે ૧૭ સપ્ટેમ્બરને રવિવારથી આ મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવશે. ક્રિકેટરસિકો આ ટિકિટનું બુકિંગ પીટીએમ એપ ઉપરથી કરી શકશે. જ્યારે ભારત-ઑસ્ટે્રલિયા ટીમનું રાજકોટમાં આગમન ૨૫ સપ્ટેમ્બરે થશે.
ખાસ વાત એ છે કે આ વર્ષે ક્રિકેટરસિકોએ મેચની મજા માણવા માટે ખીસ્સું થોડું વધુ હળવું કરવું પડશે કેમ કે આ વખતની મેચમાં ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાના દરની ટિકિટ રાખવામાં આવી નથી અને ટિકિટનો ભાવ ૧૫૦૦ રૂપિયાથી જ શરૂ થશે. એકંદરે ટિકિટ વેચાણ શરૂ થતાની સાથે જ રાજકોટમાં ક્રિકેટફિવર' છવાઈ જશે. ઉલ્લેખનીય છે કે ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે ત્રણ મેચની શ્રેણી રમાશે જેની છેલ્લી મેચ રાજકોટમાં રમાનાર હોવાથી આ મુકાબલો
ફાઈનલ’ બની રહે તેવી સંભાવના નકારી શકાતી નથી.
ઈસ્ટ સ્ટેન્ડ
લેવલ-૧ ૧૫૦૦
લેવલ-૨ ૧૫૦૦
લેવલ-૩ ૧૫૦૦
વેસ્ટ સ્ટેન્ડ
લેવલ-૧ ૨૦૦૦
લેવલ-૨ ૨૫૦૦
લેવલ-૩ ૨૫૦૦
વેસ્ટ સ્ટેન્ડ કોર્પોરેટ બોક્સ (૧૫ સીટ) ૧૦,૦૦૦
સાઉથ પેવેલિયન
લેવલ-૧ (ભોજન સાથે) ૮૫૦૦
લેવલ-૨ (ભોજન સાથે) ૮૫૦૦
લેવલ-૩ ૩૦૦૦
સાઉથ પેવેલિયન કોર્પોરેટ બોક્સ (૧૫ સીટ) ૧૦,૦૦૦