મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને હાર્દિક `માફક’ ન આવ્યો !
મુંબઈ ઈન્ડિયન્સે એક મોટું એલાન કરતા રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ છીનવીને હાર્દિક પંડ્યાને સોંપી દીધી છે. મુંબઈને પાંચ વખત ચેમ્પિયન બનાવનારા રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ પરત લઈ લેવાનો નિર્ણય ટીમના ચાહકોને બિલકુલ માફક આવ્યો નથી. આ અંગેનો ગુસ્સો ચાહકોએ સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર કાઢ્યો છે અને અંદાજે સાડા ચાર લાખ ચાહકોએ ટીમનો સાથ છોડી દીધો છે. એક ચાહકે તો ટીમની જર્સીને જ સળગાવી નાખી હતી ! ફ્રેન્ચાઈઝી દ્વારા જેવી જાહેરાત કરાઈ કે ચાહકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. એકલા ઈન્સ્ટાગ્રામ ઉપર જ મુંબઈએ ૩ લાખ ચાહકો ગુમાવી દીધા છે. આ સિલસિલો આજે પણ યથાવત રહ્યો અને વધુ ૧.૨૨ લાખ ચાહકે મુંબઈનો સાથ છોડી દીધો છે.