જામસાહેબ’ બન્યા બાદ અજય જાડેજાની સંપત્તિમાં રાતોરાત ૧૨૦૫ કરોડનો વધારો !
હવે અજય જાડેજા ભારતના સૌથી અમીર' ક્રિકેટર ગણાશે: વિરાટ કોહલી પાછળ છૂટ્યો
જામનગર કુલ સંપત્તિ મામલે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની આસપાસ પણ કોઈ અત્યાર સુધી ન્હોતું કેમ કે કોહલી ૧૦૦૦ કરોડ રૂપિયા જેટલી સંપત્તિનો માલિક છે. જો કે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અને તાજેતરમાં જ
જામનગરના
જામસાહેબ’ બનનારા અજયસિંહ જાડેજાનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું છે અને તેઓ કોહલીને ઓવરટેક કરીને સૌથી અમીર ભારતીય ક્રિકેટર બની ગયા છે.
જામનગરના રાજવી શત્રુશૈલ્યસિંહજી મહારાજે અજયસિંહ જાડેજાને પોતાના વારસદાર તરીકે જાહેર કર્યા છે. આ પછી અચાનક જ અજયસિંહ જાડેજા ચર્ચામાં આવી ગયા હતા. `જામસાહેબ’ બન્યા પહેલાં અજયસિંહ જાડેજા ૨૫૦ કરોડની સંપત્તિના માલિક હતા પરંતુ રાજવીની ગાદી મળતાં જ તેમની સંપત્તિમાં વધારો થઈ ગયો છે. હવે સંપત્તિ મામલે તેઓ વિરાટ કોહલીથી આગળ નીકળી ગયા છે.
હવે અજયસિંહ જાડેજાની કુલ સંપત્તિ ૧૪૫૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ કોમેન્ટરી સાથે કોચિંગ હતો પરંતુ જામસાહેબ બન્યા બાદ બધું બદલાઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૨થી ૨૦૦૦ સુધી ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા અજયસિંહ જાડેજાનું નામ ફિક્સિંગ સાથે જોડાયું હોવાથી તેમના ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ૨૦૦૩માં દિલ્હી હાઈકોર્ટે તેમના ઉપર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો પરંતુ ત્યારબાદ તેઓ બીજી વખત મેચ રમી શક્યા ન્હોતા.