Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શાળામાં ભગવદગીતાના પાઠ નવી પેઢીમાં સંસ્કારનું સિંચન કરશે?

Wed, December 27 2023
  • ભગવદગીતા, અદ્વિતીય, અલૌકિક છે અને સર્વ ધર્મનો સાર છે

તાજેતરમાં ગીતા જયંતિના દિવસે રાજય સરકારે એક મહત્વનો નિર્ણય લઈને ધો.6 થી 12 ના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત કરી હતી. ભગવદ ગીતા સનાતન ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે અને હવે આ જ ભગવદગીતાના મૂલ્યો અને સિદ્ધાંત ગુજરાતમાં ભણાવાશે.

શરૂઆતના તબક્કે ધોરણ 6 થી 8 અને ત્યારબાદ ધોરણ 12 સુધી ગીતાજીના મૂલ્યો અને સિદ્ધાંત ભણાવવામાં આવશે. શિક્ષણ વિભાગે ગીતાજીના સંસ્કૃત શ્લોકને ગુજરાતીમાં અનુવાદિત કર્યા છે અને સરકારે જે પુસ્તક તૈયાર કર્યુ તેમા સચિત્ર માહિતી પણ છે જેથી વિદ્યાર્થીઓને રસ પડે. યોજના અને પહેલ ઘણી સારી છે પરંતુ સાથે સાથે એવો સવાલ ઉઠ્યો છે કે, ભગવદગીતાના શાળામાં પાઠ શિખવવાથી પેઢીઓમાં સંસ્કારોનું સિંચન થશે કે નહીં?

સરકારે ભગવદગીતાના પાઠ ભણવાના અનેક ફાયદા ગણાવ્યા. વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદગીતાની સમજણ મળે તેવો હેતુ છે. ભગવદગીતા ભણવાથી વિદ્યાર્થીઓને અનેક સવાલોના જવાબ મળશે.

ભગવદગીતા મૂળ સ્મૃતિગ્રંથ છે. મૂળ ભગવદગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. ભગવદગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ભગવદગીતાનો સમયગાળો ઈ.સ.પૂર્વે 3066 આસપાસ મનાય છે. અપવાદને બાદ કરતા મોટાભાગના શ્લોક અનુષ્ટુપ છંદમાં છે. ભગવદગીતાનો હાર્દ એ છે કે માનવજીવન એક યુદ્ધ છે. યુદ્ધમાં દરેકે લડવું પડે છે એ પણ પીછેહઠ કર્યા વગર. ભગવદગીતા સાચો રસ્તો બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે.

ગીતાના સિદ્ધાંતો એટલે ભગવાનની વાણી છે. દુનિયા ગીતાના સિદ્ધાંતોના આધારે જ કામ કરી રહી છે. ગીતાનો ગ્રંથ દરેકને સુખ આપનારો છે. સિલેબસ રસપ્રદ બનાવવા ઘણી મહેનત કરી છે. ગીતાજીના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓનો તણાવ ઘટશે. આત્મહત્યાના કેસમાં પણ ઘટાડો થશે. અર્જુન સૌપ્રથમ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપી ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યો. ભગવદગીતાનું જ્ઞાન દરેકને કામ લાગશે. ગીતા સર્વ ધર્મનો સાર છે અને વિદ્યાર્થીઓમાં સંસ્કારનું અવશ્યપણે સિંચન થશે.

સ્વામી વિવેકાનંદે ગીતાનું મહત્વ દુનિયાને સમજાવ્યું હતું

આજથી 130 વર્ષ પહેલાના ભૂતકાળ ઉપર નજર કરીએ. પ્રસંગ હતો શિકાગોમાં મળેલી સમગ્ર વિશ્વની ધર્મપરિષદનો. આ ધર્મપરિષદમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા સ્વામી વિવેકાનંદ. ધર્મપરિષદમાં તમામ ધર્મના પ્રતિનિધિઓ હતા અને મંચ ઉપર દરેક ધર્મનો પોતાનો ગ્રંથ હતો. અન્ય ધર્મના પ્રતિનિધિની ભગવદગીતા ઉપર નજર પડી જે તમામ પુસ્તકોના બંચમાં સૌથી નીચે હતું. પ્રતિનિધિએ સ્વામીજીને કહ્યું કે આપના ધર્મનો ગ્રંથ સૌથી નીચે છે અને પછી અટ્ટહાસ્ય કર્યુ.

સ્વામી વિવેકાનંદ સહેજ પણ વિચલિત થયા વગર બોલ્યા કે આપની વાત સાવ સાચી છે. પરંતુ જો હું નીચે રાખેલી ગીતાને ખસેડી લઈશ તો ઉપર રહેલા તમામ ગ્રંથો નીચે પછડાઈ જશે. ત્યાર પછી તો શિકાગો ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદનું યાદગાર ભાષણ દુનિયાને યાદ જ છે. સમગ્ર ઘટનાક્રમમાં ભગવદગીતાનું મહત્વ જે સામે આવ્યું તેની કોઈ સીમા નથી.

Share Article

Other Articles

Previous

કોહલી સાથે બાખડનારા નવીન ઉલ હક્ક સહિત ત્રણ ખેલાડી પર પ્રતિબંધ

Next

નવા વર્ષમાં UKમાં ભણવા જવાનો પ્લાન હોય તો આટલું જાણવું જરૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
15 મિનિટutes પહેલા
વૈશ્વિક એરોસ્પેસ હબ તરીકે વિકસી રહ્યું છે રાજકોટ: ઇસરો, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને પાર્ટ્સ પૂરા પાડે છે રાજકોટ
28 મિનિટutes પહેલા
પંજાબમાં હત્યા કરી જામનગરમાં છુપાયેલા શખ્સને ATSએ ઝડપ્યો : સાગરિતો સાથે મળી ઠંડા કલેજે આપ્યો’તો હત્યાને અંજામ
46 મિનિટutes પહેલા
RMCના એક અધિકારીને નામ આગળ ‘શ્રી’ લખાવવાનો ભારે શોખ! મોહન કુંડારિયા: ફેસબુક પર સીટિંગ સાંસદ, ઈન્સ્ટા પર પૂર્વ સાંસદ,વાંચો કાનાફૂસી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2702 Posts

Related Posts

અગ્નિકાંડના પીડિતો રાજકીય હાથો નહી બને
રાજકોટ
1 વર્ષ પહેલા
સમગ્ર રાજકોટનો શોકમાં ગરકાવ : વિજયભાઈના અંતિમ દર્શન કરવા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
ગુજરાત
6 મહિના પહેલા
રાજકોટનો લોકમેળો ટલ્લે ! માર્ગ મકાન વિભાગે હજુ પ્લાન જ નથી બનાવ્યો
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોંડ પર બાલાજી હોલ પાસે દારૂડિયો ખેલ કરતો વ્રુક્ષ પર ચડી ગયો જુઓ વીડિયો..
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર