Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સાળંગપુર નો વિવાદ વકર્યોઃ સનાતની ભક્તે બેરીકેડ્સ તોડીને ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કર્યો

Sat, September 2 2023
View this post on Instagram

A post shared by VOICE OF DAY (@voiceofday.news)

સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સાળંગપુર મંદિર ખાતે અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા હનુમાનજીની વિશ્વ વિખ્યાત ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવામાં આવ્યો છે. સાથે જ તોડફોડ કરવામાં આવી છે.
સાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્રો પર કોઈ અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા કાળો કલર મારવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કાળો કલર મારનાર કોણ વ્યક્તિ છે, શું કારણ હતું તેની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ઘટનાના પગલે ડી.વાય.એસ.પી. ઘટના સ્થળે પહોંચ્યા હતા.

દરમિયાન આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આગળની રણનીતિ વિચારવા માટે તા. 3 ને સવારે 10 કલાકે અમદાવાદમાં સંતો ભેગા થશે. અમદાવાદના ભારતી આશ્રમ, સરખેજ, લંબે હનુમાન મંદિરે સંતો એકઠા થશે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી સંતો આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

બોટાદના ભીમનાથ મહાદેવ મંદિરના મહંત અને મહામંડલેશ્વર આશુતોષગીરી બાપુએ જણાવ્યું કે, આગામી દિવસોમાં લીંબડી ખાતે 100 સંતોની બેઠક મળશે, જે બાદ ભીમનાથ મંદિર ખાતે 3 હજારથી વધુ સાધુનું અધિવેશન મળશે. સ્વામિનારાયણ સંપ્રદાય ભીંતચિત્રોને લઈને યોગ્ય નિર્ણય કરે તેવી આશા છે. જો યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ચિત્રો કેમ કાઢવા તે સાધુઓને સારી રીતે આવડે છે. જો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો 5 હજાર સાધુ-સંતો ઉપવાસ આંદોલન કરશે.

સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન

સાળંગપુર વિવાદને લઇને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, હું મારૂતિનો ભગત છું, તેનું સન્માન જળવાવું જોઇએ. મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય, એ એમ કહે કે હું ભગવાન છું તે ન ચાલે. સ્વામિનારાયણસંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવા ભીંતચિત્રો દૂર થવા જોઇએ. શંકરાચાર્યથી કોઇ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઇએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય તેવું ન કરવું જોઇએ.

કરણી સેના સારંગપુરમાં કરશે હલ્લા બોલ

સાળંગપુર વિવાદનો સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવી છે. કરણી સેનાના રાજ શેખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટ આપ્યું છે. 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.

હથિયાર ધારણ કરવાની ચીમકી
બોટાદના રોકડીયા હનુમાનજી મંદિરના મહંત અને અખીલ ભારતીય પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે ચીમકી આપી છે કે, 24 કલાકમાં ભીત ચિત્રો નહી હટાવવામાં આવે તો હથિયાર ધારણ કરી કૂચ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

પતિ – સાસરીયા દ્વારા મહિલાની નગ્ન પરેડ

Next

ભારતનું વધુ એક કદમ સફળતાની તરફ : સૂર્ય મિશન આદિત્ય L-1 .. જુઓ લાઈવ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
5 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
5 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
5 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
6 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

કોલકત્તા કેસ અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કર્યા આકરા સવાલ : કહ્યું,’ આવી લાપરવાહી 30 વર્ષમાં નથી જોઈ’ !!
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બિલ્ડરોને ત્યાં દરોડામાં 200 કરોડની કરચોરી:5 કરોડની રોકડ જપ્ત
રાજકોટ
11 મહિના પહેલા
અંતે યુદ્ધ વિરામ : ટ્રમ્પે કરી ઘોષણા – ઇઝરાયેલ અને ઈરાન સંમત, 12  દિવસના વિનાશક યુદ્ધનો અંત
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
તાજીકીસ્તાનમા સવારે એક કલાકમાં બે વખત ધરતી ધણધણી, ભૂકંપની તીવ્રતા 6.1
Breaking
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર