સામાજિક સમરસતામાં ‘ઉમિયાધામ સિદસર’ નિમિત્ત બનશે: વડાપ્રધાન
સમાજને નવી ઊંચાઈ પર પહોંચાડશે: નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ સાથે આપી શુભેચ્છા: શ્રી સવા શતાબ્દી મહોત્સવનો પ્રારંભ
કરાવતા સાંસદ રૂપાલા: પાટીદાર મહાપદ્મ જીવનભાઈ ગોવાણી અને મૌલેશભાઈ ઉકાણીનું સન્માન: સમૃધ્ધિ યોજનામાં ૯ કરોડનું દાન

સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી માં ઉમીયા માતાજીના પ્રાગટ્ય ૧૨૫ વર્ષની ઉજવણી નીમીતે યોજાયેલા શ્રી ૧। સતાબ્દી મહોત્સવનો આજે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, પાટીદાર શ્રેષ્ઠિઓ, દાતાઓ, સામાજિક અગ્રણીઓ અને લાખો ભાવિકોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો છે. ઉમીયાધામ સિદસર ખાતે યોજાયેલા શ્રી ૧। શતાબ્દી મહોત્સવમાં વિડીયો કોન્ફરન્સથી સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે ઉમીયા પ્રાગટયના સવાસો વર્ષની ઉજવણી પ્રસંગે પાટીદાર સમાજ તથા ઉમીયાધામ સિદસર સામાજીક સરરસતામાં નિમીત બનશે. આ મહોત્સવ પરંપરા જાળવી રાખવા તથા નવા પડકારો ઝીલવા સમાજને નવી ઉંચાઈ પર પહોંચાડશે. મહોત્સવ લોકે ચેતના અને લોક કલ્યાણમાં સહ ભાગી બનશે. વડાપ્રધાન મોદીએ ૨૦૧૨ માં સિદસર મહોત્સવની યાદ તાજી કરી હતી.

ઉદઘાટક તરીકે બોલતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ મા ઉમીયાના મહોત્સવના ભગીરથ કાર્યમાં યોગદાન આપનાર, દાતાઓ ૬૦૦૦ જેટલા સ્વયંસેવકો તથા મહોત્સવના આયોજક ઉમીયાધામ સિદસરને અભિનંદન પાઠવ્યા હતા. રૂપાલાએ પાટીદાર સમાજને વ્યસન મુકત બનાવવા હાકલ કરતા જણાવ્યું કે પાટીદાર સમાજની તમામ બહેનો રક્ષાબંધનમાં ભાઈ પાસે ગીફટ સાડીના બદલે વ્યસન મુક્ત સમાજના નિમાર્ણમાં સહભાગી બને. રાજકોટ-અમદાવાદમાં આકાર લઈ રહેલ ૨૫૦ કરોડના શૈક્ષણિકધામ પાટીદાર સમાજની નવી પેઢીને સલામત શિક્ષા આપવાના પ્રયાસ પ્રસંસનીય છે. સામાજીક સંગઠન દ્દારા શકિત ઉત્પન્ન કરી સમાજ વિકાસની નવી દિશા ખોલવા આઠવાન કર્યુ છે. તેમણે પાટીદારોની આવનારી પેઢી ગુજરાતી ભાષા વિશેષ કાળજી લે તેવી હિમાયત પણ કરી છે. આજના ગ્લોબલ સમયે અંગ્રેજીની સાથે અન્ય ૧૦ ભાષા આવળવી જોઇએ, પરંતુ માતૃભાષા ગુજરાતી ગૌરવ હોવું જોઈએ તેવું કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું.

શ્રી ૧। શતાબ્દી મહોત્સવમાં મુખ્ય યજમાન જગદિશભાઈ કોટડીયા,પુનીતભાઈ ચોવટીયા, પાટીદાર મહાપદમ જીવનભાઈ ગોવાણી,મોલેશભાઈ ઉકાણીના અદકેરા સન્માન થયા હતા. મા ઉમીયાના માધ્યમ થી સમાજ વિકાસના કાર્યો થકી રાપટ્ર નિમાર્ણમાં સહયોગ આપવા મુખ્ય યજમાન જગદિશભાઈ કોટડીયાએ અપીલ કરી છે. ઉમીયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયા તથા મેનેજીંગ ટ્રસ્ટીએ જણાવ્યું કે આવકના ૧૦ ટકા હિસ્સો સમાજ વિકાસ કાર્યમાં આપી માં ઉમીયાની આરાધના થકી સરસ્વતીની સાધના કરી પાટીદાર સમાજની નવી પેઢીને ઉચ્ચ શિક્ષીત કરવા જણાવ્યું છે.
ઉમીયા ધામ સિદસર અમલી બનાવવામાં આવેલ ઉમીયા સમૃધ્ધિ યોજના-૩ આગામી ૨૦૩૧ પહેલા ૨૦૨૭માં પૂર્ણ થાય તે માટે મહોત્સવના ક્નવીનર ગોવિદભાઈ વરમોરાએ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ હાઇબોન્ડ ગુપના મનસુખભાઈ પાણ પરિવાર દ્રારા ૫.૫૧ કરોડ તથા વલ્લભાઈ વડાલીયા પરિવાર દ્વારા ૨.૫૧ કરોડના પરેશભાઈ પટેલ,જામનગર અરવિદભાઈ પાણ, ડી.એન.ગોલ ભુપતભાઈ ભાયાણી, ગોપાલભાઈ ખીરસરીયા, અમીતભાઈ ત્રાંબડીયા સહિતના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સિદસર શ્રી શવા શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મહોત્સવ સમિતિના અધ્યક્ષ ચિમનભાઈ શાપરીયા, ઉપપ્રમુખ મહોત્સવના સહયજમાન ભુપેશભાઈ ગોવાણી, કલ્પેશભાઈ માકાસણા, પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ ધારાસભ્યો સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ, કાંતિભાઈ અમૃતિયા, મોરબી, મહેન્દ્રભાઈ પાડલીયા, ધોરાજી, અરવિદભાઈ લાડાણી,માણાવદર રમણીકભાઈ ભાલોડીયા, પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ, ગટોરભાઈ હરિપરા પૂર્વ ઉપપ્રમુખ બોટાદ, ભુપતભાઈ ભાયાણી, ખજાનચી ધોરાજી, પૂર્વ મંત્રી મોરબી, બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.
હસતા મોઢે પડકારોને ઝીલવાની ક્ષમતા કેળવવી પડશે: યુવા સંમેલન
યુવા સંમેલનમાં અધ્યક્ષ સ્થાને રાજકોટના ઉદ્યોગપતી ચીરાગભાઈ પાણે પાટીદાર યુવાનોને પરિવાર કુટુંબની ઓળખાણ મોટી કરવા જણાવયું હતું તેમજ દરરોજ પરિવાર જનોએ સાથે બેસી ગુરૂ સભા કરવી જોઈએ. યુવાનોને ઉધોગ ધંધા માટે પ્લેટ ફોર્મ દિશા આપવા કાર્ય થવું જોઈએ તેવી નેમ વ્યકત કરી. યુવા સંમેલનમાં સુપ્રસીધ્ધ ોય તો જાતે જ તરવું પડશે. હસતા મોઢે પડકારોને જીલવા તથા પ્રહાર કરવાની ક્ષમતા કેળવવી પડશે. જગતમાં હાર જેવી ચીજ નથી કાંતો સીખવા મળશે કાંતો જીતવા મળશે. યુવાનોએ આત્મ વિશ્વાસ વધારવા માટે અનુભવ વધારવો પડશે. ધીરજ અને આત્મ વિશ્વાસ થકી સફળતા હાસલ થાય છે. તેમણે કૃપણ,કનુમાનજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોના દૃષ્ટાંત આપી સંમેલનને પ્રેરણા આપી હતી. આ સંમેલનમાં અતિથી વિશેષ તરીકે આઇઆઇટી મુંબઇના રાજ ગોઠી, સમગ્ર ભારતમાં આઈ.આઈ.ટી ગર્લ્સમાં ત્રિજા ધર્મેશ પટેલ, યુવા ઉદ્યોગપતિઓ નિધેય પાણ, મનોજ વરમોરા, અંકુર ભાલોડીયા, પરેશ હાંસલીયા, સાગર ગોવાણી, નિલેશ ઘેટીયા, લવ ઉકાણી, સમીર હાંસલ, વિરલ ઠોરીયા, રીષી કણસાગરા, રાહુલ ગોવાણી. જયેશ કૈલા. આદિત્ય પટેલ. જયસુખ લિખીયા, ડો. મેહુલ બરાસરા, બ્રિજેશ કાલરીયા, રાજ સાપરીયા, જયેશ જાવીયા, સુખદેવ ફળદુ, ઉપસ્થિત રહ્યા હતા. ઉમીયાધામના ટ્રસ્ટી હર્ષિતભાઈ કાવરએ સ્વાગત પ્રવચન આપેલ હતુ.
૨૮મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી માંડવિયા હાજરી આપશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહોત્સવમાં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહયા ન હતા. પરંતુ ૨૮ તારીખે શનિવારે ઉદ્યોગિક સંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.