Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વિકસિત ભારતમાં રોકાણ કરવા વિશ્વ આખું તત્પર : મોદી

Mon, October 28 2024

એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી બાજું વિકાસનો ઉત્સવ

લાઠીના દુધાળામાં જંગી જાહેરસભાને સંબોધન : સૌરાષ્ટ્ર માટે રૂ.4800 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ

અમરેલીની ભૂમિએ દેશને સંત યોગીજી મહારાજ, કવિ કલાપી, દુલા ભાયા કાગ, જાદુગર કે.લાલ અને જીવરાજ મહેતા જેવા રત્નો આપ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વડોદરામાં વાયુસેના માટે હવાઈ જહાજ બનાવતી ફેક્ટરીનું ઉદઘાટન કર્યા બાદ અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના દુઘાળા ગામે ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરી સૌરાષ્ટ્રના રૂપિયા 4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ તકે જનસભાને સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ સમય મગંલકાર્યોનો સમય છે. એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી બાજું વિકાસનો ઉત્સવ આ જ ભારતની નવી તાસીર છે. વિરાસત અને વિકાસ સહિયારા ચાલી રહ્યા છે ત્યારે વિકસિત ભારતમાં રોકાણ કરવા વિશ્વ આખું તત્પર હોવાનું જણાવી બ્રિક્સ સંમેલનની વાતો કરી વિકસિત ગુજરાત વિકસિત ભારતના નવા મંત્રને સાર્થક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં જણાવ્યું હતું કે, પાણી અને પર્યટનને સીધો નાતો છે. હું હમણા ભારતમાતા સરોવર જોતો હતો ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે, જે વિદેશી પક્ષીઓ આવે છે તેમને હવે નવું સરનામું મળશે. તેની સાથે પ્રવાસીઓના ધાડેધાડા ઉતરવાના છે. સાથે જ તેમને  જાફરાબાદના શિયાળબેટમાં માછીમારી ભાઈઓ માટે નવું ઇન્ફ્રાસ્ટ્ર્કચર ઉભુ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી પીપાવાવ બંદર હજારો લોકોને રોજગારી આપવાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે હવે સરકાર ગુજરાતના દરેક બંદરને દેશના અન્ય બંદરો સાથે જોડવા પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ આ તકે ખાસ જણાવ્યું હતું કે, અમરેલીની ધરતી એટલે રત્નોની ધરતી છે અમરેલીની ધરતીએ અનેક રત્નો આપ્યા છે, અમરેલીનો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે તેનો ગૌરવશાળી ભૂતકાળ રહ્યો છે. જેણે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન યોગીજી મહારાજ, ભોજા ભગત, કવિ દુલા ભાયા કાગ, રે…પંખીડા તમે સુખેથી ચણજો પંક્તિઓ આપનાર કવિ કલાપી, જાદુગર કે.લાલ અને જાણીતા કવિ રમેશ પારેખ ભેટ આપ્યા છે. સાથે જ ગુજરાતના પેહલા મુખ્યમંત્રી જીવરાજભાઈ પટેલ પણ અમરેલીની ધરતીએ જ આપ્યા હોવાનું જણાવી અમરેલીની જીઆઇ ટેગ ધરાવતી કેસર કેરીની પણ વાત કરી હતી.

 વધુમાં વડાપ્રધાન મોદીએ અમરેલી જિલ્લાની શ્વેતક્રાંતિને યાદ કરતા જણાવ્યું હતું કે અહીંની અમર ડેરીની શરૂઆતમાં માત્ર 25 ગામ જોડાયેલ હતા આજે 700 ગામની મંડળીઓ અમરડેરી સાથે જોડાઈ છે અને દરરોજનું સવાલાખ લીટર દૂધ એકત્રિત કરી અમરેલીએ શ્વેતક્રાંતિને સફળ કરી છે અને હવે એથી અર્પણ આગળ અમરેલી જિલ્લામાં સ્વીટ ક્રાંતિ શરૂ થઇ છે અને ગામડે-ગામડે હવે ખેતરોમાં મધમાખી પાલન થવા લાગ્યું. આજે અહીનું મધ પણ પોતાની એક ઓળખ ઉભી કરી રહ્યું છે. સાથે જ સવજીભાઈ ધોળકિયાના પ્રયાસોથી દુધાળા ગામ સોલાર વિલેજ બન્યું હોવાનું જણાવી દેશમાં દોઢ કરોડ પરિવારે નોંધણી કરાવી હોવાનું તેમજ ગુજરાતમાં 2 લાખ ઘરો પર સોલાર પેનલ લાગી ચૂકી હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ આ તકે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસને સંબધિત અનેક પ્રોજેક્ટ્સ તેનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો છે. ચાહે લોથલ હોય કે, સૌની યોજના હોય કે પછી નર્મદા યોજના હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી ભાવનગર સુરત રો-રો ફેરી સર્વિસ હોય.. તેમને એમ પણ કહ્યું હતું કે, કદાચ મને એવું લાગે છે કે તમામ સારા કાર્યો મારા હસ્તે જ થવાના હશે એટલે જ આજે અહીં આવતા પહેલા મે વડોદરામાં ભારતની એવી પહેલી એક ફેક્ટરીનું કર્યું કે હવે વાયુસેના માટે મેડ ઇન ઇન્ડિયા હવાઇ જહાજ ઘર આંગણે જ નિર્માણ થશે.

હવાઈ જહાજ કંપનીથી રાજકોટને ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વડોદરામાં શરૂ થયેલી હવાઈ જહાજની કંપનીને કારણે આવનાર દિવસોમાં રાજકોટ સહિતના શહેરોના નાની-નાની ફેકટરીઓને બહુ મોટો ફાયદો થવાનો છે કારણ કે હવાઈ જહાજ નિર્માણ માટે હજારોની સંખ્યામાં અલગ-અલગ સ્પેરપાર્ટનો ઉપયોગ થાય છે જે સ્પેરપાર્ટનું ઉત્પાદન કરી રાજકોટ સહિતના શહેરોના ફેક્ટરી માલિકોને ફાયદો મળશે.

જર્મની દર વર્ષે 90 હજાર લોકોને વીજા આપશે

અમરેલી ખાતે જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે આખું વિશ્વ ભારતની વિકાસ યાત્રામાં જોડાવા માંગે છે,વિશ્વના અનેક દેશો ભારતભરમાં રોકાણ માટે તૈયાર હોવાની સાથે ભારતીય યુવાનોના સ્કિલને પણ આવકારી રહ્યા હોવાનું કહી યુવાનોને જર્મનીમાં પોતાની સ્કિલ બતાવવા માટે મોકો મળ્યો છે, જર્મનીએ આ વર્ષથી ભારતીયો માટે વર્ષે 90 હજાર વીજા આપવાનું જાહેર કર્યું હોય જર્મની જવા માંગતા યુવાનોને તૈયાર થવા જણાવ્યું હતું.

અમરેલીથી રૂ.4800 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડાપ્રધાન મોદીના હસ્તે અમરેલી ખાતેથી જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓ માટેના અંદાજે રુ. 4800 કરોડથી વધુના કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના 1600 જેટલાં પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રુ.35 કરોડના ખર્ચે ગાગડીયો નદી પુન:જીવિત

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં દુધાળા ગામે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જનભાગીદારીથી રુ.35 કરોડના ખર્ચે ગાગડીયો નદી પુન:જીવિત કરી નદી પર બનાવવામાં આવેલા ભારત માતા સરોવરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વોટરશેડ  હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમને ઉંડો કરવાની કામગીરી ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ થકી ચેકડેમની પાણીની સંગ્રહ શક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટનો જવેલર્સ પુત્ર પકડાયો તે જુગાર ક્લબ દરોડામાં પોલીસને ગુમરાહ કરાઈ

Next

સરકારી ભરતી-પરીક્ષાની કમાન હવે હસમુખ પટેલના હાથમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ત્રણ હજાર કરોડના લોન કૌભાંડમાં 5 ઓગસ્ટે હાજર થવા અનિલ અંબાણીને ED નું સમન્સ
24 મિનિટutes પહેલા
ટ્રમ્પે પાકિસ્તાન પરનો ટેરિફ 29 ટકાથી ઘટાડી 19 ટકા કર્યો
27 મિનિટutes પહેલા
શું સલમાન ખાનની રાજકારણમાં એન્ટ્રી? ભાઈજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું, જુઓ અભીનેતાનો લુક
16 કલાક પહેલા
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2306 Posts

Related Posts

કાઝીરંગા નેશનલ પાર્ક માં ડૂબી જવાથી 159 પ્રાણી ના મોત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ નહીં: હાઇકોર્ટ
નેશનલ
2 વર્ષ પહેલા
દુષ્કર્મ અને હત્યાના આરોપી બાબા રામ રહીમ ફરી આવ્યો જેલની બહાર : 21 દિવસની ફર્લો મંજૂર
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટ જીએમએસસીએલ ગોડાઉનમાં દવા પલળી જવા પ્રકરણનું કડવું સત્ય
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર