Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ધનપ્રેમી બિલ્ડરોએ ૩૧ વર્ષથી શિવમ બિલ્ડિંગનું રિનોવેશન જ નથી કરાવ્યું !!

Tue, September 26 2023

સર્વેશ્વર ચોકમાં ૩૦ લોકો નાલામાં ખાબક્યા બાદ થઈ રહ્યા છે અનેક ખુલાસા

આટલા વર્ષોથી બિલ્ડિંગ રિપેરિંગ કરાવ્યા વગર હોવાનું જાણવા છતાં મહાપાલિકા `આળસ’ કરતું રહ્યું ! ટાઉન પ્લાનિંગ શાખા અને બાંધકામ શાખા અત્યાર સુધી કોની સોડ તાણતી હતી ? લોકોનો અણિયાળા સવાલ

દરેક મકાન-દુકાનને પાંચ-સાત વર્ષે રિનોવેશનની જરૂર રહે છે પરંતુ શિવમ બિલ્ડિંગ જાણે કે `લોખંડ’નું હોય તેમ તેને રિપેર કરાવવાનું કોઈને સૂઝ્યું જ નહીં: હવે તંત્ર નોટિસો ફટકારી કામગીરીનો સંતોષ માનશે !

બિલ્ડિંગ બનાવે એટલે તેને રિનોવેશનની જવાબદારી બિલ્ડરની હોય કે પછી તેમાં દુકાન-ઑફિસ ધરાવતાં ધારકોની ? નિયમોનું કડક પાલન કરાવવાનું તો મનપાના હાથમાં છે તો તે શા માટે અત્યાર સુધી જાગ્યું નહીં ?

સર્વેશ્વર ચોકમાં વોંકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટના બન્યા બાદ હવે મહાપાલિકા દોડતી થઈ ગઈ છે અને એ વિસ્તારમાં ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ કરી દીધું છે. આ બધાની વચ્ચે મહત્ત્વનો ખુલાસો એવો થયો છે કે `નોટપ્રેમી’ બિલ્ડરો દ્વારા ૩૧ વર્ષથી સર્વેશ્વર ચોકમાં જ્યાં આ ઘટના બની ત્યાં જ આવેલું શિવમ બિલ્ડિંગનું રિનોવેશન જ કરાવ્યું નથી ! સામાન્ય રીતે પાંચથી સાત વર્ષ થાય એટલે મકાન કે દુકાન કે પછી ઑફિસને રિનોવેશન કરાવવાની જરૂર પડતી હોય છે પરંતુ ૩૧-૩૧ વર્ષ સુધી કોઈ બિલ્ડિંગને રિનોવેશન જ ન કરાવવામાં આવે તો પછી ગોઝારી દૂર્ઘટના બનતી કોઈ જ ન અટકાવી શકે !

આટઆટલા વર્ષથી આખું બિલ્ડિંગ રિપેરિંગ થયા વગર જ ઉભેલું હોવાનું જાણવા છતાં મહાપાલિકાની ટાઉનપ્લાનિંગ અને બાંધકામ શાખાએ આળસ' કર્યે રાખી હતી. આ બન્ને મહત્ત્વની શાખા અત્યાર સુધી કોની સોડ તાણી રહી હતી ? એવા અણિયાળા સવાલો પણ લોકો પૂછી રહ્યા છે. હવે નોટિસ આપીને પ્રવેશબંધી ફરમાવી દેવાતાં વેપારીઓને જોરદાર મુશ્કેલી પડી રહ્યાનો રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કેશિવમ’ બિલ્ડિંગ જાણે કે લોખંડનું બન્યું હોય તેવી રીતે તેને રિપેરિંગ જ કરાવવામાં આવ્યું નથી અને તંત્ર દ્વારા પણ આ દિશામાં ક્યારેય સજ્જડ કાર્યવાહી કરવામાં આવી નથી.

અહીં નોંધનીય વાત એ પણ ગણી શકાય કે બિલ્ડિંગ બનાવવામાં આવ્યા બાદ તેને નિયમિત રીતે રિનોવેશન કરાવવાની જવાબદારી બિલ્ડરોની રહેતી હશે કે પછી જે તે દુકાન-ઑફિસ ધારકોની ? જવાબદારી જેની પણ રહેતી હોય પરંતુ નિયમનું ચુસ્ત પાલન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી તો મહાપાલિકાની જ રહે છે એટલા માટે તેના દ્વારા જ નિયમનો અમલ કરાવવાની તાતી જરૂરિયાત છે.

રાજકોટમાં કુલ બાવન વોંકળા, ૧૪ ઉપર બાંધકામની મંજૂરી, બાકીના રેઢાપડ

જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં કુલ બાવન વોંકળા આવેલા છે જેમાંથી ૧૪ ઉપર મનપા દ્વારા બાંધકામ કરવાની મંજૂરી આપેલી છે. જો કે અત્યારે શહેરમાં ૧૪ નહીં બલ્કે ૨૦થી વધુ વોંકળાઓ ઉપર આડેધડ બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે જે ગમે ત્યારે મોટી ઘટનાને અંજામ આપી શકે છે આમ છતાં તેનું નિયમિત ચેકિંગ થઈ રહ્યું નથી.

સર્વેશ્વર ચોકમાં હજુ પણ વોંકળા પર દબાણો યથાવત: અન્ય વિસ્તારોની સ્થિતિ પણ આવી જ !

`વૉઈસ ઑફ ડે’ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચોકમાં સર્વેશ્વર ચોકમાં હજુ એક આખું રેસ્ટોરન્ટ વોંકળા ઉપર ઉભેલું હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ ઉપરાંત જાગનાથ રોડ પર ડૉ.મોરીના દવાખાનાવાળા રસ્તા પર આવેલા નાલાની ઉપર હૉકર્સ ઝોન બનાવવામાં આવ્યો છે જ્યાં પણ દરરોજ મોટી સંખ્યામાં લોકો ખાનપાન માટે આવી રહ્યા છે. આવું જ કંઈક સાંઢિયા પુલની નીચે જોવા મળ્યું છે જ્યાં વોંકળાની અંદર મકાનો તેમજ ઢોર બાંધી લેવામાં આવ્યા છે છતાં અહીં કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી.

૨૦૧૦થી વોંકળા ઉપર બાંધકામની મનાઈ ફરમાવાઈ છે

મહાપાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે ૩૭ વર્ષ પહેલાં રાજ્ય સરકારે વોંકળા પરની જમીનો વેચવાનો ઠરાવ કર્યો હતો. આ પછી ૨૦૧૦થી મતલબ કે ૧૩ વર્ષ પહેલાં જ વોંકળા પર બાંધકામની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અત્રે મહત્ત્વનો સવાલ એ છે કે ૧૩ વર્ષથી ભલે વોંકળા પર બાંધકામ કરવા દેવામાં આવતું ન હોય પરંતુ ત્યારબાદ થયેલા દબાણોનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે કે નહીં ? આ ઉપરાંત વોંકળા પર મંજૂરીથી બાંધકામ કરાયું છે તેની સ્થિતિ ઠીક છે કે નહીં તેની ખરાઈ કરવામાં આવે છે કે નહીં ?

Share Article

Other Articles

Previous

રેલવે તંત્રને મળ્યો કાર્યદક્ષ કર્મચારી….જુઓ કોણ છે…..

Next

સર્વેશ્વર ચોકના શિવમ ૧-૨ બિલ્ડિંગની ૧૦૦ ઑફિસ-દુકાનમાં `પ્રવેશબંધી’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
3 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
3 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
4 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

ગેમ ઝોનમાં શનિવારે એન્ટ્રી માટે 99 રુપિયાની સ્કીમ હતી, EXIT અને ENTRY માટે એક જ રસ્તો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચુંટણી પંચે રાહુલ ગાંધીને શું આપી સલાહ ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નવી મોદી સરકારમાં રાજનાથ સિંહ, અમિત શાહ સહિત કોણ કોણ બન્યું મંત્રી? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
ખ્યાતી હોસ્પિટલની તપાસમાં ઝુકાવતુ ઇડી : મોટાપાયે મની લોન્ડરિંગની શંકા
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર