Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હોસ્પિટલ ખાલી હોય એટલે દર્દીને ધરાર’ દાખલ રાખવાનો ખેલ !

Tue, November 26 2024

હદ થઈ ગઈ…ડૉક્ટરોનું એમ્બ્યુલન્સમાં પણ કમિશન

તમારે ફલાણા ટેસ્ટ કરાવવા પડશે, તમારો રિપોર્ટ હજુ સારો નથી આવ્યો, હજુ બે-ત્રણ દિવસ રોકાવું પડશે...આવું કહીને દર્દીને ગોંધી રખાય છે

દર્દી તો ઠીક જ હોય છે પણ હોસ્પિટલની આવકનું ચક્ર ફરતું જ રહે તે માટે ડૉક્ટરો અખત્યાર કરે છે અવનવા હથકંડા

કોઈ દર્દીની ઘેર સાર-સંભાળ રાખવાની હોય તો તેના માટે પણ ડૉક્ટર કમિશન ખાઈને કરી આપે છે સ્ટાફનીવ્યવસ્થા’
રાજકોટમાં જેનેરિક સ્ટોરમાંથી દવા લખી આપનાર ડૉક્ટર કેટલા ? આંગળીના વેઢે ગણી શકાય એટલા

આ સમાચાર જે પણ વાંચક વાંચતા હશે તે બીમાર પડે એટલે ડૉક્ટર પાસે તેને ભગવાન' ગણીને જ જતાં હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જો કે હવે વિશ્વાસરૂપી આ સેતુ તૂટી જાય તેવા એક બાદ એક ખુલાસા થઈ રહ્યા હોય તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. અત્યાર સુધી આપણે એ જાણતાં હતા કે ડૉક્ટરો દવા કંપની સાથે કમિશનની ટકાવારી કરીને એ જ દવા લખવાનો આગ્રહ રાખે છે.

આ ઉપરાંત લેબોરેટરીઓ સાથે પણ તેમની કમિશનખોરી હોવાનો પર્દાફાશવોઈસ ઓફ ડે’ કરી ચૂક્યું છે ત્યારે હવે તો ડૉક્ટરના હૃદયમાં માનવતા જાણે કે મરી-પરવારી હોય તેવી રીતે એમ્બ્યુલન્સમાં પણ કમિશન ખાઈ રહ્યા હોવાની હચમચાવનારી, ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થવા પામી છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ હોસ્પિટલ ખાલી થઈ ગઈ હોય અને એકાદ-બે દર્દી દાખલ હોય એટલે ડૉક્ટરો દ્વારા એ દર્દીઓને ધરાર' દાખલ રાખવાનો ખેલ પણ ખેલવામાં આવી રહ્યો હોય છે. શહેરમાં અનેક હોસ્પિટલો એવી કાર્યરત છે જ્યાંના તબીબો રીતસરના વેપારીઓ બની ગયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દી સાજું થઈ ગયું હોય અને રજા લઈ શકે તે પ્રકારે ઠીક થઈ ગયું હોવા છતાં તેમને ઘેર મોકલવામાં આવી રહ્યા નથી.

આવું એટલા માટે કેમ કે જો એ દર્દીને ઘેર મોકલી દેવામાં આવે તો પછી આખી હોસ્પિટલ ખાલી પડી જાય અને પછી આવક કેવી રીતે થાય ? આ વાતને ધ્યાનમાં રાખી ડૉક્ટરો દ્વારા તમારે ફલાણો ટેસ્ટ કરાવવો પડશે, તમારો રિપોર્ટ બરાબર નથી આવ્યો, તમારે હજુ બે-ત્રણ દિવસ રોકાવું પડશે તેમ કહીને દર્દીને ગોંધી રાખીને પોતાની આવકનું ચક્ર ફરતું જ રાખે છે. વાત આટલેથી અટકતી નથી. રાજકોટમાં અત્યારે અનેક એવી હોસ્પિટલો ધમધમે છે જેના પાસે પોતાનું એમ્બ્યુલન્સ હોય છે. કોઈ દર્દી દાખલ થયા બાદ સાજું થઈને ઘેર જવાનું થાય એટલે બધાં પાસે પોતાની કારની વ્યવસ્થા હોતી નથી એટલા માટે નાછૂટકે તેમણે એમ્બ્યુલન્સ ભાડે કરાવવી પડે છે.

ખાસ કરીને બહારગામના દર્દી રાજકોટમાં સારવાર મેળવીને પોતાના વતન પરત ફરવા માંગે ત્યારે તેઓ બરાબરના સાણસામાં આવ્યા વગર રહેતા નથી કેમ કે આ લોકોને અહીંનાખેલ’ સમજ પડતાં હોતાં નથી એટલા માટે તે જે-તે હોસ્પિટલના સ્ટાફને જ એમ્બ્યુલન્સ ભાડે કરાવી આપવા માટેનું કહેતાં હોય છે. જેવી એમ્બ્યુલન્સ ભાડે કરાવવાની વાત આવે એટલે સ્ટાફ દ્વારા ફલાણા-ઢીકણા વ્યક્તિની એમ્બ્યુલન્સ ભાડે કરાવી આપવામાં આવે છે. ત્યારબાદ એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે દર્દીના પરિવારજનો ભાવતાલ નક્કી કરે છે અને ભાડું નક્કી થયા બાદ તે દર્દી અને તેના સગાને લઈને રવાના થાય છે.

આશ્ચર્યની વાત એ છે કે જ્યારે હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ ભાડે કરાવી આપવામાં આવે છે ત્યારે ડ્રાઈવર અથવા એમ્બ્યુલન્સના માલિકને એવી મીઠી મીઠી વાતો કરવામાં આવે છે કે આ દર્દીને આપણી હોસ્પિટલમાં ખૂબ જ સારી સારવાર આપવામાં આવી હોવાથી તેઓ સાજા થઈ ગયા છે. હવે તેમને સાજાનરવા તેમના ઘર સુધી પહોંચાડવાના છે એટલા માટે ભાડું થોડું વ્યાજબી લેજો ! આ સાંભળીને દર્દી તેમજ તેના પરિવારજનો પણ ખુશ થઈ જતાં હોય છે કે હોસ્પિટલ દ્વારા તેમનું કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ! જો કે વાસ્તવિક્તા કંઈક બીજી જ હોય છે અને જેવું એમ્બ્યુલન્સમાં જવાનું નક્કી થાય એટલે ભાડામાંથી અમુક ટકા રકમ ડૉક્ટરને મળતી હોવાની વિગતો જાણકારો પાસેથી મળી રહી છે. ઉદાહરણ તરીકે કોઈ દર્દીને જામનગર જવાનું થાય એટલે એમ્બ્યુલન્સ ચાલક તેના પાસેથી ૩૦૦૦, ૪૦૦૦ અથવા ૫૦૦૦ એમ ભાડું વસૂલતો હોય છે. આ રકમમાંથી અડધોઅડધ રકમ હોસ્પિટલના ડૉક્ટર જમી જતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાત આટલેથી પૂરી થતી નથી. કોઈ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે એટલે ડૉક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે દર્દીની ઘેર જઈને પણ સારસંભાળ રાખવી પડશે. ઘણા પરિવાર એવા હોય છે જેમાં એક-બે વ્યક્તિ જ હોય છે તેમાંથી એક વ્યક્તિ બીમાર પડે એટલે બીજી વ્યક્તિ ઉપર પહેલી વ્યક્તિની સંભાળ રાખવા ઉપરાંત ઘરની જવાબદારી આવી પડતી હોવાથી દર્દી પાસે ચોવીસેય કલાક રહે તેવી વ્યક્તિની જરૂર પડતી હોય છે. અત્યારે રાજકોટમાં આ પ્રકારે હોમસર્વિસ આપતી અનેક દુકાનો ખૂલી ગઈ છે ત્યારે આવી દુકાને કોઈ વ્યક્તિ ડૉક્ટરની ભલામણ લઈને જાય એટલે તેની પાસેથી ડૉક્ટરના કમિશન સહિતના રૂપિયા લઈ લેવામાં આવતાં હોવાનું બહાર આવી રહ્યું છે. આવા અનેક ધંધામાં ડૉક્ટર ભાગીદાર હોવા છતાં તેના ઉપર કોઈ જ પગલાં લઈ શકતું નથી અને છેલ્લે તો દર્દીએ જ લૂંટાવાનું અને ભોગવવાનું આવી રહ્યું છે.

`વ્યવસ્થા’ કરવા માટે માર્કેટિંગ સ્ટાફ હોય છે !
એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે એમ્બ્યુલન્સ ઉપરાંત હોમસર્વિસ માટે કોઈને જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવા માટે હોસ્પિટલો દ્વારા જ માર્કેટિંગ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. આ સ્ટાફ દ્વારા દર્દીના સગાને એવી મધમીઠી વાતો કરીને શીશામાં ઉતારી લેવામાં આવે છે અને ત્યાંથી શરૂ થાય છે કમિશનરૂપી કાળો કારોબાર…જો ડૉક્ટરો આ બધી સેવામાંથી કમિશન લેવાનું બંધ કરી દે તો દર્દીને ઘણી જ રાહત મળી શકે તેમ છે પરંતુ દર્દીઓ અને તેના સગાઓનું દૂર્ભાગ્ય કે સાંજ પડે એટલે હજારો, લાખો રૂપિયા છાપી લેતાં તબીબોને અમુક રકમ પણ જતી કરવાનું સૂઝી રહ્યું નથી !!

ડૉક્ટર તેના દિલ પર હાથ મુકીને કહે, આ બધું તેમને શોભે છે ?
દર્દીઓ ચિત્કાર સાથે કહી રહ્યા છે કે બધાં ડૉક્ટર કમિશનખોર નથી હોતા પરંતુ અમુક ટકા તબીબો એવા હોય છે જેમની પાસે દર્દી આવે ત્યારથી લઈ દર્દી નિદાન કરાવીને બહાર ન નીકળે ત્યાં સુધીમાં કઈ રીતે કેટલું કમિશન લેવું તેનો જ વિચાર આવ્યે રાખતો હોય છે. આવા ડૉક્ટરોને અમે ભગવાનની સાક્ષીએ કહેવા માંગીએ છીએ કે તેઓ એક વખત તેમના દિલ પર હાથ મુકીને કહે કે તમને આ બધું શોભે છે ? શું તમારો માહ્યલો ક્યારેય તમને આવું કરતા રોકતો નથી ? દર્દીઓ ડૉક્ટરને ભગવાન ગણે છે ત્યારે ભગવાન જ જો ખંખેરી લેવાના ખેલમાં સામેલ થઈ જશે તો પણ અમારે ભરોસો મુકવો કોના ઉપર ?

Share Article

Other Articles

Previous

26/11 Mumbai Attack : મુંબઈ હુમલાની એક એક ક્ષણ લોકોને યાદ છે, ખૂની ખેલથી ધ્રુજી ઉઠી હતી દેશની આર્થિક રાજધાની

Next

સીઝન બદલાતાં જ રાજકોટમાં ચારે બાજુ ઠોં ઠોં: શરદી-ઉધરસના કેસ ઉછળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
17 મિનિટutes પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
18 મિનિટutes પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

FBI જેને શોધે છે એ વિકાસ યાદવની દિલ્હી પોલીસે ડિસેમ્બરમાં ધરપકડ કરી હતી
ક્રાઇમ
8 મહિના પહેલા
દેશમાં આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : 6 આતંકી ઝબ્બે, વાંચો સમગ્ર મામલો
નેશનલ
9 મહિના પહેલા
૯૨ વર્ષ, ૧૮ પ્રયાસ બાદ ન્યુઝીલેન્ડે ટેસ્ટમાં આફ્રિકાનો કર્યો `વ્હાઈટ વોશ’
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
વર્ષ 2017ના નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ મામલે ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો : તમામ 8 આરોપી નિર્દોષ જાહેર
Breaking
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર