ઉપલેટાના ખાખીજાળીયા ગામે મહિલાના મૃતદેહ સાથે તાંત્રિક વિધિ
દફન કરેલો મૃતદેહ કોને બહાર કાઢ્યો તે બાબતે પોલીસ તપાસ
ઉપલેટાના ખાખીજાળીયા ગામે દફન કરાયેલી મહિલાની લાશને કોઈએ બહાર કાઢી તાંત્રિક વિધિ કરી હોવાની શંકાએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. પોલીસે આ બાબતે તપાસ શરુ કરી છે.
ખાખીજાળીયા ગામમાં બનેલા વિચિત્ર બનાવમાં મૃત થયેલી મહિલાના મૃતદેહની દફનવિધિ કરાઈ હતી તેના બીજા દિવસે આ કિસ્સો બન્યો છે. તાંત્રિક વિધિના નામે કોઈએ કબર ખોદી મહિલાના મૃતદેહ સાથે ચેડા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કિસ્સાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ગામના લોકોએ આ ઘટનાની જાણ થતાં જ થતાં પોલીસને જાણ કરતા પોલીસ અને મામલતદાર કચેરીનાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. પોલીસ મહિલાના મૃતદેહને કોને બહાર કાઢ્યો તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તાંત્રિક વિધિના નામે કોઈએ આ પ્રકારના ચેડા કર્યા હોવાની વાત સાચી છે કે ખોટી તે મુદ્દે પણ આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
