Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ક્ષત્રિય સમાજ પર નિવેદનનો કાલ સુધીમાં નિવેડો આવી જશે: પાટીલ

Thu, March 28 2024

આગેવાનો સાથે સુખદ ચર્ચા ચાલી રહ્યાનો દાવો: નિવેદન યોગ્ય છે કે નહીં તેનો કોઈ ફોડ ન પાડ્યો !
બહાર'થી આવેલા ઉમેદવાર પ્રત્યે વિરોધ કરવો તે રાજકોટનીતાસીર’ નથી: મોદીને અહીંથી જ જીતાડ્યા હતા
અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ કોંગ્રેસીને ભાજપમાં સામેલ કર્યા સાથે સાથે અનેકને ના પણ પાડવી પડી: ભાજપમાં જોડાયેલા પાંચને ટિકિટ આપવા મામલે નરોવા-કુંજરોવા

લોકસભા ચૂંટણીનો ગરમાવો આમ તો પાછલી ચૂંટણીઓ જેવો જોવા મળી રહ્યો નથી જેનું મુખ્ય કારણ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર ન કરવા પાછળનું છે. અત્યાર સુધી ચૂંટણી ભાજપ માટે વન-વે હોય તેવું લાગી રહ્યું પરંતુ રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદને વિવાદનો મધપૂડો છંછેડી નાખ્યો છે જેના ઘેરા પ્રત્યાઘાતો આખા ગુજરાતમાં પડી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજકોટ આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિવાદનો કાલ સુધીમાં ઉકેલ આવી જશે અને અત્યારે ક્ષત્રિય આગેવાનો સાથે સુખદ ચર્ચા ચાલી રહી છે.

જો કે પાટીલે રૂપાલા દ્વારા અપાયેલું આ નિવેદન યોગ્ય છે કે નહીં તેનો કોઈ જ ફોડ પાડવાનું મુનાસીબ માન્યું ન્હોતું. પાટીલને પૂછવામાં આવ્યું કે પુરુષોત્તમ રૂપાલા મુળ અમરેલીના છે અને તેમને રાજકોટ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે ત્યારે અહીંના ઘણાખરા લોકોમાં તેઓ આયાતી' હોવાની છાપ ઉપસી રહી છે ત્યારે તેની અસર કેવી પડશે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પાટીલે કહ્યું કેબહાર’થી આવેલા ઉમેદવારો પ્રત્યે વિરોધ કરવો તે રાજકોટની `તાસીર’ રહી નથી અને તેનું ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ ધારાસભાની ચૂંટણી રાજકોટની બેઠક પરથી જ લડીને જીત્યા હતા એટલા માટે એ મુદ્દો ચૂંટણીમાં બિલકુલ અસરકર્તા રહેશે નહીં.


ભાજપમાં ચાલી રહેલા ભરતીમેળા અંગે પાટીલે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૬૦,૦૦૦ કોંગ્રેસીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે ત્યારે એવું નથી કે પક્ષને કોંગ્રેસ નેતાઓની જરૂર છે બલ્કે ભાજપની વિચારધારા સાથે સહમત હોય તેવા કાર્યકરો-નેતાઓ માટે ભાજપના દરવાજા હંમેશા ખુલ્લા જ છે. જો કે ભાજપ દ્વારા ઘણા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને સામેલ કરવાની ના પણ પાડવામાં આવી છે.


તાજેતરમાં જ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ઉમેદવાર બનાવાયા તે અંગે પૂછવામાં આવતાં પાટીલે કહ્યું હતું કે તેમને કોઈ પ્રકારની શરત વગર પક્ષમાં સામેલ કરવામાં આવ્યા છે અને ભાજપના કોઈ નેતાની ટિકિટ કાપીને તેમને ટિકિટ અપાઈ નથી.

ડેટા-ટેક્નોલોજીનો સમન્વય' કરીને મતદાર સુધી પહોંચો

સ્વામિનારાયણ મંદિર ખાતે બુથપ્રમુખ સંમેલનને સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું કે ડેટા અને ટેક્નોલોજીનોસમન્વય’ કરીને મતદાર સુધી પહોંચશું તો વિધાનસભા જેવું જ પરિણામ લોકસભા ચૂંટણીમાં મળશે. ડેટા અને ટેક્નોલોજી એ બન્ને અલગ વસ્તુ છે કેમ કે ટેક્નોલોજી વેચાતી લઈ શકાય છે પરંતુ ડેટા તો આપણે જ એકઠો કરવો પડશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બુથ પ્રમુખ તેમજ શહેર ભાજપ પ્રમુખના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

કોણ જોડાયું શિવ સેના શિંદેમાં ? વાંચો

Next

600 વકીલોએ કોને લખ્યો પત્ર ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ક્રિકેટર રીન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજે કરી સગાઈ : જાણો કપલમાંથી કોણ છે વધુ અમિર? કેટલી છે સંપતિ
13 કલાક પહેલા
સુરતમાં મોડલનો ગળાફાંસો ખાઈ આપઘાત : અંતિમ રિલમાં લખ્યું આજે તે અહેસાસ કરાવી દીધો કે…!! વાંચો સમગ્ર ઘટના
14 કલાક પહેલા
India A vs England Lions : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ક્યા 4 ખેલાડીને મળશે તક, જાણો સંભવિત પ્લેઇંગ-11
14 કલાક પહેલા
રાજકોટમાં બંગાળી શેઠની બર્બરતા : બાળમજૂરની પૂંઠે સળીયો ખોસતા મૂત્ર માર્ગ થયો બંધ, સિવિલમાં સારવાર હેઠળ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2167 Posts

Related Posts

ટ્રેન હાઈજેક સંકટ યથાવત , પાક સેનાની હવા નીકળી ગઈ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ઓસ્કાર એવોર્ડ: બેસ્ટ ફિલ્મ અનોરા, એડ્રીયન બ્રોડી બેસ્ટ એક્ટર, મિકી મેડિસન બેસ્ટ એક્ટ્રેસ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
ધનખડ સામેના અવિશ્વાસ પ્રસ્તાવનું શું થયું ? શું આવ્યો ફેસલો ? જુઓ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
સાઉદી અરેબિયામાં સ્થાયી થવા માગતા ભારતીયો માટે સારા સમાચાર
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર