આંબેકડરનગરમાં બે પરિવાર વચ્ચે મારામારી છ ઘાયલ
બે વર્ષ જુના મનદુઃખમાં ફરીથી માથાકુટ થયા બાદ બઘડાટી
રાજકોટ ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ઘર પાસે ગાળો બોલવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી થતાં બન્ને પરિવારના છ સભ્યોને ઇજા થઈ હતી.
આંબેકડરનગર-૧૦માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં જેઠાભાઇ દાનાભાઇ દાફડા (ઉ.વ.૬૦) તથા તેના પત્નિ ગંગાબેન જેઠાભાઇ દાફડા (ઉ.વ.૫૫) અને પુત્ર રાજેશ (ઉ.વ.૩૦) ઘર પાસે હતાં ત્યારે શેરી નં. ૧માં રહેતાં નાનજીભાઇ, નરેશ, અજય, સોનુબેન, નાનજીની માતા, શાંતાબેન રાખસીયા, સંજય, ગૂગોદ, રાહુલે હુમલો કરતાં જેઠાભાઇ, તેમના પત્નિ અને પુત્રને ઇજાઓ થઇ હતી. ટોળકીએ પથ્થરમારો પણ કર્યો હતો. જેઠાભાઇએ જણાવ્યું હતું કે બે વર્ષ બનેલા બનાવમાં સમાધાન કરી લેવાનું કહી નાનજીએ ટોળકી રચી ઘર પાસે આવી ગાળો બોલતા તેને ગાળો નહિ બોલવા કહેતાં હુમલો કર્યો હતો. સામા પક્ષે નાનજીભાઇ બેચરભાઇ રાખશીયા (ઉ.વ.૪૫) અને તેનો પુત્ર રાહુલ (ઉ.વ.૨૫) પણ પોતાના પર ધોકાથી હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયા હતાં. તેની ફરિયાદ પરથી પોલીસે જેઠાભાઇ દાફડા, તેના પુત્ર રાહુલ, પત્નિ ગંગાબેન અને દિકરી સુમિતા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.