ગુજરાતમાં નશાયુકત સીરપસપ્લાય કરનાર મહારાષ્ટ્રની ફેક્ટરી અને ગોડાઉન શીલ
રાજકોટ ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી : વધુ ત્રણ શખ્સોની ધરપકડ
રાજકોટ માંથી પકડાયેલ રૂ. 73 લાખનું નશાયુકત સીરપના ઉત્પાીદન કેન્દ્ર ઉપર રાજકોટ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી મહારાષ્ટ્ર્ના નંદુરબાર જીલ્લાના ઉદેપુરમાંઆવેલી ફેકટરી તથા મુંબઇના ભીવંડીમાં આવેલા ગોડાઉનને દોઢ કરોડથી વધુના મુદામાલ સાથે સીલ કરી દીધું હતું આ પ્રકરણમાં વધુ ત્રણ શખ્સો અશોક ચૌહાણ,જયરાજ ખેરડીયા અને લગધીરસિંહ જાડેજાની ધરપકડ કરી છે હજુ સુત્રધાર રૂપેશ નટવરલાલ ડોડીયાઅને ધર્મેન્દ્રન ડોડીયા ફરાર છે.
ક્રાઇમ બ્રાંચના પી. આઈ બી. ટી. ગોહિલની ટીમના પીએસઆઇ ડી.સી. સાકરીયાની ટીમે તપાસ કરતાં મહારાષ્ટ્રાના નંદુરબાર જીલ્લાનાઅક્કલકુવા તાલુકાના ઉદેપુર ગામની શ્રી આયુર્વેદીક હેલ્થ કેર નામનીફેકટરીમાં બનતો હોવાનું અને ત્યાં થી રાજકોટ સહિત ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં સપ્લાેય થતુંહોવાનું જાણવા મળતા એક ટીમ મહારાષ્ટ્ર તપાસ માટે ગઈ હતી અનેફેકટરીમાં ઉપરાંત એક ગોડાઉન અને મુંબઇ ખાતે ભીવંડીવિસ્તાતરના ગોડાઉનમાં સીલકરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ગોડાઉનમાં આશરે દોઢ કરોડનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
કોનો શું રોલ
નીતીનભાઇઅજીતભાઇકોટવાણી (વડોદરા) નંદુરબાર આયુર્વેદિકહેલ્થકેરફેકટરીનો માલીક
તુપ્તીબેન ભીખાભાઇ પંચાલ (વડોદરા)નંદુરબારઆયુર્વેદિકહેલ્થકેરફેકટરીનો મેનેજર
અનીલ સુરેશ પાટીલ (ચૌધરી) નંદુરબાર (મહારાષ્ટ્ર)નંદુરબારફેકટરીના સંચાલનમાં મદદગાર
લગ્ધીરસિંહકાળુભાજાડેજા (ભાવનગર) ગુજરાતનો મુખ્યસપ્લાયર
પ્રવીણસિંહ જાડેજા (દેવભુમી દ્વારકા) હેલ્થ કેર આર્યુવેદા કંપની મુંબઇ નો માલીક
ધર્મેન્દ્ર નટવરલાલ ડોડીયા (રાજકોટ) મુખ્યડીલર
રૂપેશ નટવરલાલ ડોડીયા (રાજકોટ)મુખ્યડીલર
મેહુલભાઇ અરવીંદભાઇ જસાણી (રાજકોટ)મુખ્યડીલર
અશોકભાઇ ગગજીભાઇ ચૌહાણ (રાજકોટ)રાજકોટનું ગોડાઉન સંભાળનાર
જયરાજભાઇ અમરશીભાઇ ખેરડીયા (રાજકોટ)રાજકોટના ગોડાઉનથી માલની ડીસ્પેચ કરનાર