Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના ધરતી પુત્રનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન

Sun, December 15 2024

પ્રખર ગૌસેવક અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિના સર્જક ભરતભાઈ પરસાણા સ્ટાર ફાર્મર સ્પીકર એવોર્ડથી સન્માનિત

ભારત સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ (ICAR ) દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સોમારોહમાં રાજકોટના નામાંકિત ઉદ્યોગગૃહ પરસાણા ફાઉન્ડ્રી પરિવારના સભ્ય, પ્રખર ગૌભક્ત અને પ્રાકૃતિક – સજીવ ખેતી ક્ષેત્રે અભૂતપૂર્વ જનજાગૃતિ અને ક્રાંતિ સર્જનારા સેવાના સારથી એવા ધરતીપુત્ર ભરતભાઈ ભુરાભાઈ પરસાણાને તાજેતરમાં સ્ટાર ફાર્મર સ્પીકરના પ્રતિષ્ઠાભર્યા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનારા તેમજ અને ઉત્પાદન વૃદ્ધિ તથા ખર્ચ ઘટાડા અંગે મહત્વના સંશોધનો કરનાર ખેડૂતોને આ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે આ એવોર્ડ માટે દેશભરના 22,000 ખેડૂતોના નોમિનેશન આવ્યા હતા તેમાંથી વિવિધ કેટેગરીમાં 1000 ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં ભરતભાઈ પરસાણાએ સરળ ગ્રામ્ય ભાષામાં હૃદયસ્પર્શી ઉદબોદન કરી બધાના દિલ જીતી લીધા હતા. તેમાં તેમણે પોતાની ગૌરવભભરી પારિવારિક વિરાસત, કૃષિ ઉત્પાદન ક્ષેત્રે તેમણે કરેલા સફળ પ્રયોગો, તથા પ્રાકૃતિક ખેતી ના મહત્વ વિશે સચોટ માહિતી આપી હતી. તેમનું એ પ્રવચન દેશ-વિદેશમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાખો લોકોએ નિહાળ્યું હતું.

ભરતભાઈ પરસાણાનો પરિવાર વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય ધરાવે છે. લક્ષ્મી દેવીની અપાર કૃપા હોવા છતાં નમ્રતાપૂર્ણ સાદગીભરી જીવન શૈલી ધરાવતા ભરતભાઈએ વિશ્વના અનેક દેશોની મુલાકાત લઇ જ્ઞાનનું ભાથુ સમૃદ્ધ કર્યું છે.તેઓ વેદ, ઉપનિષદ,ગીતા અને પુરાણોના જ્ઞાતા છે અને તેના મૂળભૂત સિદ્ધાંતોને જીવનમાં ઉતાર્યા છે. તેઓ કહે છે કે ગાય આપણી માતા છે અને આપણે ધરતીને પણ માતા કહીએ છીએ. પણ એ બે માતાના જતનમાં અત્યારે સમાજ ઉણો સાબિત થઈ રહ્યો છે. ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે ધરતી માતાની ફળદ્રુપતા ઘટી ગઈ છે.ગૌ સંવર્ધન પ્રત્યેની ઉપેક્ષા ને કારણે શુદ્ધ ઓલાદો ઘસાતી જાય છે. તેમણે કહ્યું કે માનવી પ્રકૃતિથી વિમુખ થઈ રહ્યો છે અને એ પરિબળ જ વિવિધ બીમારીઓ અને સમસ્યાનું મૂળ છે. એક ઉદાહરણ આપતા તેઓ કહે છે કે એક સમયે રસોડામાં રોટલા બનતા હોય તો આખા ઘરમાં બાજરાની મીઠી સોડમ પ્રસરી જતી. આજે એ સોડમ વિલાઈ ગઈ છે. તેને પરત લાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે.ભરતભાઈએ તેમનું આખું જીવન ગૌ સેવા,માનવ સેવા અને સજીવ ખેતીના પ્રચાર પ્રસાર માટે સમર્પિત કરી દીધું છે. રાજકોટમાં તેમના 70 વીઘાના ફાર્મને કૃષિ ક્ષેત્રની લેબોરેટરી માનવામાં આવે છે. કૃષિ પાક વૈવિઘ્ય અને ઉત્પાદન વૃદ્ધિ માટે તેમણે કરેલા પ્રયોગોને નિહાળવા દેશ-વિદેશમાંથી કૃષિ તજજ્ઞો તેમના ફાર્મ હાઉસની મુલાકાતો લઈ ચૂક્યા છે. ગૌ સેવા અને કૃષિ ક્રાંતિ માટે તેમણે આપેલા અમૂલ્ય પ્રદાન બદલ નરેન્દ્ર ભાઈ મોદીએ, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું સન્માન કર્યું હતું.

‘માનવસેવા ગૌસેવા અને પ્રકૃતિ સેવા એ જ પરમધર્મ’ નું સૂત્ર આત્મસાત કર્યું

ભરતભાઈએ જળસંચય, વૃક્ષારોપણ, ગૌસંવર્ધન અને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપ્યું છે. પ્રાકૃતિક ખેતી અને ગૌ વંશની શુદ્ધ નસલના જતન માટે તેમણે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોનો વ્યાપક પ્રવાસ કર્યો હતો.
આર્થિક રીતે જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ વિદ્યાર્થીઓને આર્થિક સહાય તથા માર્ગદર્શન આપી અનેક પરિવારોને પગભર અને સમૃદ્ધ કરવામાં તેમનું પ્રદાન રહ્યું છે. સ્વખર્ચે ફળાઉ વૃક્ષોના છોડ વિતરણ દ્વારા ખેડૂતોને વધારાની આવક ઊભી કરવાની તેમની ઝુંબેશનો સૌરાષ્ટ્રમાં હજારો ખેડૂતોએ લાભ લીધો છે.

વીસ રૂપિયાના ખર્ચમાં 50 ટકા ફાયદો, પરિણામ ન મળે તો એક કરોડનું ઇનામ!

ભરતભાઈએ તેમના જીવનમાં ક્યારેય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ નથી કર્યો અને છતાં તેમની વાડી વિવિધ કૃષિ ઉત્પાદનોથી હરિભરી અને છલકાતી રહે છે. તેમણે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના ઉપયોગ વગર જ ઉત્પાદન વૃદ્ધિ માટે 250 ગ્રામ ગાયનું દૂધ,250 ગ્રામ ગૌમુત્ર, 250 ગ્રામ ગોબરનું પાણી અને 100 ગ્રામ દેશી ગોળના મિશ્રણનો સરળ પ્રયોગ આપ્યો છે. આ મિશ્રણ તૈયાર કરવામાં માત્ર 20 રૂપિયાનો ખર્ચ થાય છે. તેનાથી ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થવાની અને ખર્ચમાં ૨૫ ટકાનો ઘટાડો થવાની તેઓએ ગેરંટી આપી છે. આ પ્રયોગ કરનાર કોઈ ખેડૂતને ધાર્યું પરિણામ ન મળે અને પ્રયોગને ખોટો સાબિત કરે તો એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની તેમણે જાહેરાત કરી છે. દિલ્હી ખાતે એવોર્ડ વિતરણ સમારોહમાં તેમણે આ જાહેરાત દોહરાવી ત્યારે ઉપસ્થિત શ્રોતાઓએ તેમને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

Share Article

Other Articles

Previous

જનસંખ્યા મુજબ નવા સીમાંકન મુદ્દે ભાજપ અને ટીડીપીમાં તડાં

Next

મણીપુરમાં ફરી હિંસા ભડકી, બિહારના બે મજૂરોની ગોળી ધરબીને હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
8 કલાક પહેલા
રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા
9 કલાક પહેલા
ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ
10 કલાક પહેલા
કરચોરી કરનારા ચેતજો : બેંક એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનો ઉપાડ,50 લાખની ડિપોઝીટ પર ઇન્કમટેક્સની બાજ નજર
10 કલાક પહેલા
Categories

નેશનલ

2177 Posts

Related Posts

ક્યાં લાગુ નહીં થાય સીએએ ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
નીતિ આયોગની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, વિકસિત ભારત દેશવાસીઓની મહત્વકાંક્ષા, દરેક રાજ્યએ સક્રિય ભૂમિકા ભજવવાની છે
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
વિદેશી રોકાણકારોએ કેવો નવો રેકોર્ડ બનાવ્યો ? હવે પછીના ચાર મહિનામાં કેટલું રોકાણ થશે ? વાંચો
બિઝનેસ
2 વર્ષ પહેલા
ધારીના મદ્રેસાના મૌલવીનું પાક. કનેક્શન? વ્હોટ્સએપમાં મળી પાક-અફઘાનનાં ગ્રુપની ચેટ, ATS કરશે તપાસ
ક્રાઇમ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર