રાજકોટ :જુની માથાકૂટનો ખાર રાખી પિતા-પુત્ર પર ચાર શખ્સોનો હુમલો
શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા મારવાડીવાસમાં ત્રણ મહિના આગાઉ ગણેશ ચતુર્થીના દિવસે થયેલી માથાકૂટનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પિતા- પુત્રને પાઇપ અને ધોકા વડે ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રૈયાધારમાં આવેલ મારવાડીવાસ શેરી નં ૮ માં રહેતા કૈલાશભાઈ તુલસીરામ ભાટી ( ઉ.વ.૪૦) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચાર દિવસ પેહલા પોતે અને પુત્ર સંજય ઘરે હતા ત્યારે આરોપી પ્રભુએ તેં પુત્રને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો જે બાદ પ્રભુ અને તેની સાથે આવેલા વિસ્તારામ, નોરથમરામ, અને પ્રકાશ નામના શખ્સો સંજયને જેમ ફાવે એમ ગાળો ભાંડી માર મારતાં હોય જેથી દેકારો થતાં કૈલાશભાઈ પણ ઘરની બહાર નીકળ્યા હતા.
પોતાના પુત્રને બચવા જતા આરોપીઓએ સંજય ભાઈ ઉપર પણ હુમલો કર્યો હતી. દેકારો થતાં બાજુમા રહેતા ફરિયાદીના સાળા ઘનશ્યામભાઈ પણ દોડી આવેલા આરોપીએ તેમના માથે પણ ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ત્યાંથી નાશી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.