ગરમી ઘટતા આજથી જનસેવા કેન્દ્રો રાબેતા મુજબ
હીટવેવને પગલે બપોરે 1થી 4 જનસેવા કેન્દ્રો બંધ રાખવાના સમયમાં ફેરફાર : હવેથી 11થી 6 ખુલ્લા રહેશે
હિટવેવની સ્થિતિને કારણે રાજકોટ શહેર અને જિલ્લાના જનસેવા કેન્દ્રોના સમયમાં કરવામાં આવેલ ફેરફાર હવે ગરમી ઘટતા ફરીથી રાબેતા મુજબ કરી દેવામાં આવ્યા છે, અગાઉ સવારે 9થી 1 અને સાથે 4થી 6 ચાલુ રહેતા જનસેવા કેન્દ્રો હવેથી રાબેતા મુજબ સવારે 11થી સાંજના 6 સુધી કાર્યરત રહેશે.
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગરમીમાં ઘટાડો થતા જનસેવા કેન્દ્રો પરનો દૈનિક સમય સવારે 9થી 1 અને સાંજે 4થી 6.10 વાગ્યાના સમયમાં ફેરફાર કરી હવેથી સવારે 11થી સાંજના 6 વાગ્યા સુધી તમામ જનસેવા કેન્દ્રો ચાલુ રાખવા જાહેર કરાયું છે. વધુમાં રાજકોટ પૂર્વ, પશ્ચીમ, દક્ષિણ અને ગ્રામ્ય ઉપરાંત લોધિકા, કોટડા સાંગાણી, જસદણ, વિંછીયા, પડધરી, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા અને ગોંડલ સહિતના તમામ જનસેવા કેન્દ્રો આજે મંગળવારથી રાબેતા મુજબ કાર્યરત બનશે.