સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 72 મેળા માટે પોલીસ તૈનાત
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી
સૌરાષ્ટ્રમાં અલગ અલગ 5 જિલ્લાના 72 લોકમેળા યોજાતા હોય જેમાં શી ટીમ અને પોલીસ જવાનો ખડેપગે રહેશે. તહેવારમાં કોઈ ઈચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો છે. આજથી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થનાર હોય, જે અનુસંધાને રાજકોટ રેન્જના 40 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 72 નાના-મોટા લોકમેળાઓનું આયોજન થનાર છે. જેમાં બહોળી સંખ્યામાં જનમેદની એકઠી થનાર છે. જે અનુસંધાને દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 6, મોરબી જીલ્લામાં 9, રાજકોટ ગ્રામ્યમાં 29, સુરેન્દ્રનગર જિલ્લામાં 26 એમ કુલ 72 નાના, મોટા લોકમેળાઓ યોજાનાર છે. સૌરાષ્ટ્રના આ તમામ લોકમેળાઓ ખાતે ડીવાયએસપી કક્ષાના અધિકારી અને નાના લોકમેળાઓ ખાતે સર્કલ પીઆઈ તથા ઇન્ચાર્જ પી. આઇ કે પીએસઆઇને આવ મેળાના બંદોબસ્ત માટે નિરીક્ષણની જવાબદારી સોંપાઈ છે.
તમામ લોકમેળાઓના બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે થાણા અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. તમામ લોકમેળાઓ ખાતે બાળકો, મહિલાઓ તથા સીનીયર સીટીઝનો માટે શી ટીમ તૈનાત રાખવામાં આવનાર છે. પીકપોકેટરો, ચેઇન સ્નેકર તથા આવારા તત્વો ઉપર લગામ કસવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક ડી સ્ટાફના કર્મચારીઓથી ખાનગી કપડાઓમાં પણ પોલીસ લોકમેળાઓ ખાતે ફરજ બજાવનાર છે. તમામ લોકમેળાઓ ખાતે લોકો રજુઆત, ફરીયાદ કરી શકે તે માટે તંબુની વ્યવસ્થા ગોઠવી તેઓની રજુઆત, ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવા ટીમો રાખવામાં આવેલ છે.