રાજકોટમાં સ્કૂલ કેમ્પસમાં બાળકોને લેવા-મૂકવા જતાં વાલીઓ હવેથી ટૂંકા કપડાં કે નાઇટડ્રેસ પહેરીને નહીં જઇ શકે
રાજકોટમાં આજરોજ શાળા સંચાલકોએ એક મહત્વપૂર્ણ અને સારો નિર્ણય લીધો છે. રાજકોટમાં હવેથી કોઇપણ શાળામાં કોઇપણ વાલી ટુંકા કપડાં, બરમૂડા કે નાઇટ ડ્રેસ જેવા પોશાક પહેરીને પ્રવેશ નહીં કરી શકે છે
રાજકોટમાં આજરોજ શાળા સંચાલકોએ એક મહત્વપૂર્ણ અને સારો નિર્ણય લીધો છે. રાજકોટમાં હવેથી કોઇપણ શાળામાં કોઇપણ વાલી ટુંકા કપડાં, બરમૂડા કે નાઇટ ડ્રેસ જેવા પોશાક પહેરીને પ્રવેશ નહીં કરી શકે છે. શાળા સંચાલકોએ આ નિર્ણય લેતા કહ્યું કે શહેરમાં શાળાઓ એ મંદિર છે અને મંદિરમાં શિસ્ત પાળવું પડશે. બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકૉડ સાથે જ શાળાના કેમ્પસમાં આવવા પર વાલીઓને શાળા સંચાલકો તરફથી તાકીદ કરાઇ છે. ખાસ વાત છે કે, આ નિયમ શહેરની તમામ શાળાઓ માટે નિયમ લાગુ કરાશે. જો કોઇપણ વાલી શિસ્તભંગ કરતાં કપડાં પહેરીને શાળાના કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. બાળકોમાં સારા સંસ્કાર અને મર્યાદા જળવાઇ રહે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો આ મહત્વનો નિર્ણય છે.
ટૂંકા વસ્ત્રોમાં સ્કૂલ કેમ્પસમાં નૉ એન્ટ્રી મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવદેન
શાળા કેમ્પસમાં વાલીઓ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને જવા આવવા પર પ્રતિબંધ મામલે હવે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવદેન સામે આવ્યુ છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે જણાવ્યુ કે, જે રીતે મંદિર અને કુટુંબના નિયમો છે તેવા જ શાળાના નિયમો છે, અને તેને પાળવા જરૂરી છે. હાલમાં એક વાત ઉડીને આખે વળગે છે ઉચિત ના હોય તેવા વાલીઓ કપડાં પહેરે છે. શાળા સંચાલક મંડળના નિયમ બાબતે અમે ચર્ચા કરીશું. આવા નિર્ણયથી બાળકોમાં સંસ્કારનું સિંચન થશે. બાળકો અને શિક્ષકો પણ સારા વસ્ત્રો પહેરે. તમામ લોકોએ સ્કૂલે મર્યાદામાં આવવું જોઈએ. જો કોઈ શાળામાં શિક્ષકો પણ અમર્યાદિત કપડા પહેરતા હોય તો સંચાલકો પાસે ખુલાસો પૂછીશુ.