ઈંડા-નોનવેજના ધંધાર્થીઓ સામે ઘૂમટો’ તાણવામાં ફૂડ શાખાને કોઈ જ નહીં પહોંચે !!
શુક્રવારે ફૂડ શાખાએ ૨૦ સ્થળે ચેકિંગ કરીને કામગીરી કરીને
કારીગરી’ બતાવી પણ ઈંડા-નોનવેજની દુકાન-રેંકડીએ જવાની જાણે કે તાકાત' જ ન રહી હોય તેમ ક્યાંય પણ ન ડોકાઈ
પાનની દુકાનો સીલ કરવી હોય તો
ફોજ’ ઉતારી દેતાં મહાપાલિકાના અધિકારીઓને છડેચોક ફેલાઈ ગયેલા દૂષણની વાત આવે ત્યારે સાપ સૂંઘી જાય છે કે શું ?
લોકોની લાગણી દૂભાતી હોય તો દુભાય, મોઢે હાથ કે રૂમાલ રાખવો પડે તો ચાલશે પણ આપણે ચેકિંગમાં જશું’ને ભાગવું' પડશે તો ? ચારેય શાખાની
શાખ’ સામે સવાલ
શું ભેળસેળ કે વાસી-અખાદ્ય પદાર્થ ફરસાણ, સાઉથ ઈન્ડિયન, કોલ્ડ્રીંક્સ, ખમણની દુકાનમાં જ થતી હશે કે વેચાતા હશે ? ઈંડા-નોનવેજ શુદ્ધ-સાત્વીક સામગ્રીથી તૈયાર થાય છે ?
માત્ર વેજિટેબલ વાનગીઓ વેચતા વેપારીઓને ત્યાં તવાઈ બોલાવતી ફૂડ શાખા સામે જબદરસ્ત કચવાટ
મહાપાલિકા પાસે જાંબાઝ અધિકારીઓ રહ્યા જ નથી, તંત્રના પદાધિકારીઓમાં પણ હિંમત રહી નથી…આ સહિતના ખૂંચી જાય તેવા વિધાનો શહેરના પ્રબુદ્ધ નાગરિક તેમજ ભદ્ર સમાજ કરી રહ્યો છે !! આવું બોલવા પાછળ કારણ પણ ચોટદાર અપાઈ રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે ખાણી-પીણીની ગમે તે દુકાન કે રેંકડી પર જઈ ચડતી ફૂડ શાખા ઈંડા-નોનવેજની ઠેર-ઠેર ખડકાઈ ગયેલી રેંકડી કે દુકાનો ઉપર કેમ જવાની હિંમત કરતી નથી ? આ જ કારણથી ટકોર પણ થઈ રહી છે કે મહાપાલિકાની ફૂડ શાખાને ઘૂમટો' તાણવામાં કોઈ જ પહોંચી શકે તેમ નથી !! શહેરીજનો તર્ક સાથે એવી વાત કરી રહ્યા છે કે ફૂડ શાખાએ શુક્રવારે ૨૦ સ્થળે ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી રેંકડી-કેબિનોનું ચેકિંગ કર્યું છે. આ ચેકિંગ તેણે બજરંગવાડી તેમજ જામનગર રોડ વિસ્તારમાં કર્યું હોવાનું જાહેર કર્યું છે ત્યારે શું તેમને એટલી પણ ખબર નહીં હોય કે આ જ વિસ્તારમાં સાંજે ૭ વાગ્યે એટલે ઈંડા-નોનવેજની રેંકડીઓ મન પડે ત્યાં ખડકાઈ જાય છે.
શાખાને ખબર ન હોય તેવું બની શકે તેમ જ નથી ત્યારે એક વાત તો નિશ્ચિત બની જાય છે કે ફૂડ શાખા પાસે સાંજના સમયે ઈંડા-નોનવેજની રેંકડી પર જઈને ચેકિંગ કરવાની હિંમત જ રહી નથી. માત્ર નક્કી કરેલી રેંકડીઓ અને દુકાનો કે જે સવારના સમયે ચાલું હોય છે ત્યાં ચેકિંગ કરીને કામગીરીમાં
કારીગરી’ બતાવી રહી છે. જો તંત્રમાં હિંમત હોય તો સાંજે ૭ વાગ્યા બાદ રેંકડીઓ-દુકાનો પર જઈને ચેકિંગ કરી બતાવે…!
સાથે સાથે લોકો એવું પણ કહી રહ્યા છે કે મહાપાલિકાએ પાનની દુકાન સીલ કરવી હોય તો અધિકારીઓ-કર્મચારીઓની ફોજ ઉતારી દેવામાં આવે છે પરંતુ જ્યારે વાત છડેચોક ફેલાઈ ગયેલા ઈંડા-નોનવેજના (ઈંડા-નોનવેજના વેચાણ સામે કોઈને વાંધો નથી, વાંધો માત્રને માત્ર ગેરકાયદેસર ઉભા રહીને થઈ રહેલા વેપાર સામે છે ) દૂષણને દૂર કરવાની વાત આવે ત્યારે સાપ સૂંઘી જાય છે તે વાતને લઈને છે કે પછી મહાપાલિકાએ જ નક્કી કરી લીધું છે કે લોકોની લાગણી દૂભાતી હોય તો દૂભાય, મોઢે હાથ કે રૂમાલ રાખવો પડશે તો ચાલશે પણ ક્યાંક આપણે ચેકિંગમાં જશું’ને ભાગવાનો વખત આવશે તો ? આ પ્રકારનો સવાલ ફૂડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, દબાણ હટાવ અને વિજિલન્સ શાખાની શાખ સામે ઉભો થઈ રહ્યો છે.
વળી, એવો તર્ક પણ અપાઈ રહ્યો છે કે શું ભેળસેળ કે વાસી-અખાદ્ય પદાર્થ ફરસાણ, સાઉથ ઈન્ડિયન, કોલ્ડ્રીંક્સ, ખમણની દુકાનમાં જ થતી હશે કે વેચાતા હશે ? ઈંડા-નોનવેજ શુદ્ધ-સાત્વીક સામગ્રીથી તૈયાર થાય છે ? આ સહિતના સવાલો અત્યારે `વૉઈસ ઑફ ડે’ની ઝુંબેશ દરમિયાન પૂછાઈ રહ્યા છે ત્યારે શું કોઈ જ પદાધિકારી કે અધિકારીમાં જવાબ દેવાની હિંમત જ રહી નથી ?
માત્ર વેજિટેબલ વાનગીઓ વેચતા વેપારીઓને ત્યાં તવાઈ બોલાવતી ફૂડ શાખા સામે જબદરસ્ત કચવાટ
એવું પણ નથી કે વેજિટેબલ વાનગીઓ વેચતી રેંકડી અને દુકાનો ગેરકાયદેસર નથી ઉભી રહેતી કે નિયમનો ભંગ નથી કરતી…અમુક ધંધાર્થીઓ નિયમનો ભંગ જરૂર કરી રહ્યા છે ત્યારે મહાપાલિકાની ફૂડ શાખા શા માટે ત્યાં જઈને પોતાની શૂરવીરતા બતાવી રહી છે ? તેવો સવાલ જબદરસ્ત કચવાટ સાથે વેજિટેબલ વાનગીઓનું કાયદેસર રીતે વેચાણ કરતાં વેપારીઓ પૂછી રહ્યા છે. જે રીતે સપ્તાહમાં બે વખત ફૂડ વિભાગની ટીમ ચેકિંગ કરીને કામગીરી બતાવે છે તેવું જ કામ ઈંડા-નોનવેજની રેંકડી કે દુકાને જઈને ન થઈ શકે ?
પાનની એક દુકાનને સીલ’ને ફોટો પડાવવા ચાર લોકો ગોઠવાઈ ગયા !
મહાપાલિકા દ્વારા એક તસવીર પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ઢેબર રોડ પર આવેલી ઓમ ડીલક્સ પાન નામની દુકાનને ગંદકી બદલ સીલ કરી દેવામાં આવી છે. દુકાનને સીલ લગાવ્યા બાદ જે રીતે મનપાના અધિકારી-કર્મચારીઓએ ફોટોસેશન કરાવ્યું તેને જોઈને લોકો એવું પૂછી રહ્યા છે કે આવી જ હિંમત ઈંડા-નોનવેજની દુકાનને સીલ માર્યા બાદ લાગુ શાખા દ્વારા કરવામાં આવશે ?