યાર્ડમાં કોઇને સમસ્યા ન રહે તે મુખ્ય હેતુ: અતુલ કમાણી
રાજકોટ બેડી યાર્ડમા ખેડૂત, વેપારી અને કમિશન એજન્ટ સાથે સકલન કરી છેલ્લા ૨ વર્ષથી ડિરેક્ટર તરીકે અને કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે છેલ્લા ૭ વર્ષથી અતુલભાઈ કમાણી જવાબદારી સભાળી રહ્યા છે. યાર્ડમા વેપારી, ખેડૂતને કોઈપણ મુશ્કેલી જણાય તો તાત્કાલિક તેમને મળી તેમની મુશ્કેલી દૂર કરવાના પૂરતા પ્રયાસો કરવામા આવે છે. એમણે રાજકોટ યાર્ડ અને સૌરાષ્ટ્ર યાર્ડમા કમિશન એજન્ટ એસોસિએશન અને સૌરાષ્ટ્ર માર્કેટિગ યાર્ડ વેપારી એસો. દ્વારા કરવામા આવતી કામગીરી અગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
વૉઇસ ઓફ ડે સાથેની વાતચીતમા અતુલભાઈ કમાણીએ જણાવ્યુ હતુ કે, યાર્ડમા વેપારીઓએ માલ ખરીદ્યો હોય તેનુ સમયસર પેમેન્ટ થાય તેની કાળજી રાખવામા આવે છે. કમિશન એજન્ટ જે માલ વેપારીને વેચે તેનુ બિલ લઈને વેપારી સુધી પહોંચાડવાનુ અને વેપારી પાસેથી પેમેન્ટ સમયસર કમિશન એજન્ટ સુધી પહોંચાડવાનુ કમિશન એજન્ટ એસોસીશનનુ કામ હોય છે. અમારો મુખ્ય હેતુ ખેડૂત, વેપારી કે કમિશન એજન્ટ દુખી ન થાય તે અમારો મુખ્ય હેતુ છે.
અતુલભાઈએ વધુમા જણાવ્યુ હતુ કે, કમિશન એસોસિએશનમા જે માલ વેચ્યો હોય તેનુ બિલ કમિશન એજન્ટ એસો. વેપારી સુધી પહોંચાડવાની કામગીરી ઓછામા ઓછા ૪ દિવસમા કરવામા આવે છે તેનુ એસો. તેનુ ધ્યાન રાખે છે. આ ઉપરાત અતુલભાઈ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પણ પ્રમુખ છે ત્યારે એમણે ઉમેર્યું હતુ કે, સૌરાષ્ટ્રમા નાના-મોટા કુલ ૪૭ યાર્ડ છે. જેમા ૩૨ યાર્ડમા અનાજ, કઠોળ, તેલીબિયા સહિતના પાકનુ વેચાણ થતુ હોય છે. ત્યારે અહી એસો. ની મુખ્ય કામગીરી રહેતી હોય છે.
જ્યારે યાર્ડમા કોઈ પાર્ટી કાચી પડે છે ત્યારે અન્ય યાર્ડણે જાણ કરવાની હોય છે, તેમજ યાર્ડમા કોઈપણ આકસ્મિક ઘટના બને ત્યારે સૌએ સાથે મળીને તેની સરકાર સુધી રજૂઆત કરવી વગેરે જેવી કામગીરી કરવાની હોય છે. જ્યારે વેપારી અને ખેડૂતોને સુવિધા મળે તે બાબતે સરકાર સુધી રજૂઆત કરવામા આવતી હોય છે. ઘણીવાર યાર્ડમા જણસીની ચોરી થતા હોવાના બનાવો બને છે ત્યારે અન્ય યાર્ડને જાણ કરી આવી જણસી અન્ય યાર્ડમા વેંચાવા આવે તો તે જપ્ત કરી પોલીસને જાણ કરવામા આવતી હોય છે.
ઘણીવાર કેટલાક ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકોના યોગ્ય ભાવ અને જાણ હોતી નથી ત્યારે ખેડૂતોને યાર્ડમા ચાલતા પાકના ભાવ અગે જાણ કરવામા આવતી હોય છે. મહત્વનુ છે કે, કેટલાક કિસ્સામા અમુક વેપારી ખેડૂતો પાસેથી સીધો ખેતરથી જ માલ ખરીદતા હોય છે આવા કિસ્સામા યાર્ડમા પાકનો ઉંચો હોય છે પરતુ તે ભાવથી નીચો ભાવ ખેડૂતને મળતો હોય છે અને ખેડૂત છેતરાતા હોય છે ત્યારે આવુ ન બને તેનુ ધ્યાન રાખવામા આવતુ હોય છે. ઉપરાત કોઈનુ પેમેન્ટ અટકે નહિ, ખેડૂતો છેતરાય નહિ, તેમણે પૂરતુ વળતર મળી રહે, પૂરતો ભાવ મળે તેની જવાબદારી હોય છે અને તે સુપેરે નિભાવી રહ્યા છીએ.