સાંસદ મોકરિયાની મહેનત રંગ લાવી: આજથી રાજકોટ-ભુજની ટ્રેન શરૂ
રાજકોટથી ભુજની આજથી ટે્રન શરૂ થશે. આ ટે્રન માટે સંસદ સભ્ય (રાજ્યસભા) રામભાઈ મોકરીયા એ દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને ધારદાર લેખિત રજૂઆત કરેલી આ ઉપરાંત ગયા વર્ષે અને તા ૧૭/૦૨/૨૦૨૫ ના રોજ રાજકોટ ખાતે સંસદ સભ્યોની રજૂઆત બાબતે જનરલ મેનેજર વેસ્ટન રેલવે મુંબઈથી અશોક મિશ્ર સાથે પણ મીટગમાં આ ટે્રન સત્વરે ચાલુ કરાવવાની રજૂઆત કરેલ હતી. હજુ બીજી ૧૭ ટે્રનોની રાજકોટ સુધી લંબાવવાની પણ રજૂઆત કરેલ છે. આ ટે્રનો ચાલુ કરવા માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણ દ્વારા હકારાત્મક વલણ દાખવેલ. રામભાઈ મોકરીયાની રાજકોટ-ભુજ ટે્રન ચાલુ કરવા માટેની કરેલી મહેનત લેખે લાગી અને આ ટે્રન કરવા ચાલુ કરવા બદલ જાહેર જનતા તરફથી અભિનંદનની વર્ષ થઈ રહેલ છે.