Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જીવદયા માટે જીવન સમર્પિત કરનાર મિત્તલ ખેતાણી

Fri, February 23 2024

બેંકમાં સારા પેકેજની નોકરી છોડી સેવાકીય પ્રવૃતિમાં જોડાયા

પિતાના પગલે ૨૫ વર્ષથી કરી રહ્યા છે જીવદયાના કાર્યો: નંદીની સારવાર માટે ફોન આવ્યો અને શરૂ
કર્યું કરુણા ફાઉન્ડેશન: ભારત સરકારના પશુપાલન મંત્રાલયમાં સલાહકાર તરીકે આપે છે માનદસેવા

રાજકોટમાં એક એવી વ્યક્તિ છે કે જેમણે બેંકમાં સારા એવા પેકેજની નોકરી છોડીને જીવદયાની શરૂઆત કરી. પિતાની સેવાકીય પ્રવૃતિને અનુસરીને ૨૫ વર્ષ પહેલા જીવદયા શરૂ કરનાર અને ભારત સરકારના પશુપાલન મંત્રાલયમાં માનદ સલાહર તરીકે સેવા આપતા મિતલ ખેતાણી કે જેમણે ૨૦ વર્ષ પહેલા કરુણા ફાઉન્ડેશન શરૂ કર્યું. તેમનું કહેવું છે કે, સેવા એટલે નિજાનંદ.
શહેરના સેવાભાવી વ્યક્તિ મિતલભાઈ ખેતાણી એરટેલ, એચડીએફસી બેંકમાં સૌરાષ્ટ્ર-ગુજરાત કક્ષાના હેડ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના પિતા જીવદયા અને સેવાકીય પ્રવૃતિ કરતાં હોય તેમના પગલે પુત્ર મિતલભાઈ પણ નોકરી છોડીને સેવાકીય પ્રવૃતિમાં જોડાયા. પ્રથમ રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેમાં સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમણે ગૌ હત્યા, જીવ હત્યા, જીવતા પ્રાણીઓની નિકાસ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ પણ લડી છે. જ્યારે વૈશ્વિક કક્ષાએ જીવદયા, ગૌસેવા, શાકાહાર, અભયદાન પ્રવૃતિઓમાં કાર્યરત છે. ઉપરાંત તેઓ લેન્ડ ડેવલોપર, કવિ, લેખક પણ છે.


લેખન, સંચાલનનો શોખ ધરાવતા અને સંયુક્ત પરિવારમાં રહેતા મિતલભાઈએ મૂંગા પશુ-પક્ષીઓ માટે સેવા કરવાનું શરૂ કર્યું. આ માટે એમણે ૨૦ વર્ષ પહેલા કરુણા ફાઉન્ડેશન શરૂ કર્યું. જેના તેઓ હાલમાં પ્રમુખ પણ છે. આ નિ:શુલ્ક સેવા ૨૪ કલાક ૨૦ વર્ષથી અવિરત શરૂ છે. અગિયાર એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક પણ વસાવવામાં આવ્યા છે. મૂંગા પશુઓની સેવા કરવાનો વિચાર કઈ રીતે આવ્યો તેના જવાબમાં મિતલભાઈએ “વોઇસ ઓફ ડે”ને જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલા મને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને બીમાર નંદીની સારવાર માટે મદદ માંગી હતી. એ સમયે મારામાં સાત્વિક અહમ હતો કે, મારાથી આ કામ થઈ જશે. નંદીની સારવાર માટે જુદા-જુદા વ્યક્તિઓનો સંપર્ક કર્યો અનેઅંદાજે ૨૦ થી વધુ ફોન પણ કર્યા પરંતુ કામ ન થયા. બાદમાં મે મૂંગા પશુઓ માટે કઈક કરી છૂટવાના હેતુથી કરુણા અભિયાન શરૂ કર્યું. તેઓ સમગ્ર દેશમાં ભ્રમણ કરે છે અને પશુસેવા, શાકાહાર, માનવતાના કામ થાય તે માટે સેવા કરતાં લોકોને મદદ કરે છે.


સેવાકીય પ્રવૃતિ પાછળના એમના ઉદ્દેશ્ય વિષે કહ્યું કે, લોકોની માનસિકતામાં પરિવર્તન થાય છે અને ભાવ હિસા એટકે તેવો હેતુ છે. સેવાકીય પ્રવૃતિમાં હાર્ટની સાથે માઇન્ડ પણ ઉમેરાવવું જોઈએ તેવું મિતલભાઈનું માનવું છે. આજના સમયમાં અનેક લોકો નોનવેજ ખાય છે, દારૂ પીવે છે, આ બંને બાદ ખરાબ સંગતમાં આવે છે અને પૈસાની જરૂરિયાત થાય છે. જેના કારણે તેઓ ખરાબ ધંધામાં પગ મૂકે છે અને અંતે તેતો બરબાદ થાય જ છે સાથે તેનો પરિવાર પણ બરબાદીના બારણે આવીને ઊભો રહે છે. આમ એક સ્વસ્થ સમાજ માટે પણ વ્યક્તિ શાકાહારી બને તે જરૂરી છે.


એમણે વધુમાં કહ્યું હતું કે, ભારતને પાકિસ્તાન, ચીન જેવા પાડોશી દેશથી ખતરો નથી પરંતુ દેશને જે ખતરો છે તે સંસ્કૃતિ ઉપર છે. ઓટીટી પ્લેટફોર્મ પર પીરસવામા આવી રહ્યું છે તે બાળકોને બરબાદ કરી રહ્યું છે. જો સારું ક્નટેન્ટ નહી આવે તો બાળકો બરબાદ થઈ જશે. ઓટીટી પ્લેટફોર્મ પર જે વિકૃતિઓ, હિસા પીરસવામાં આવી રહી છે તેની સામે સેન્સરશીપ આવે તેવી માંગ સ્થાનિક સાંસદો દ્વારા સંસદમાં પણ મુદ્દો ઉઠાવડાવ્યો છે. એમણે કહ્યું હતું કે, રાજકોટમાં આત્મહત્યાના કિસ્સા વધુ બને છે લોકો ડિપ્રેશનમાં વધુ છે, છૂટાછેડા પણ વધુ થાય છે ત્યારે આ માટે એક હેલ્પલાઈન કરવાની પણ ઈચ્છા એમણે “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી.


પોતાની સેવાકીય પ્રવૃતિના ૨૫ વર્ષ દરમિયાન મિતલભાઈએ રક્તદાનના ૩ હજારથી વધુ, ચક્ષુદાનના ૧ હજારથી વધુ કેમ્પ કર્યા છે. ઉપરાંત વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ દરમિયાન ૬ હજારથી વધુ ગૌમાતાઓ માટે કેટલ કેમ્પની વ્યવસ્થાના મુખ્ય સંચાલક રહ્યા છે.

સંસ્કૃતિ યોધ્ધા તરીકે રાજ્ય સરકારે એવોર્ડથી નવાજ્યા
રાજકોટ સહિત સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃતિ કરતાં મિતલભાઈને તેમના સંસ્કૃતિ બચાવવાના અભિયાન માટે સંસ્કૃતિ યોધ્ધા તરીકે રાજ્ય સરકારે તાજેતરમાં એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ૩૩ વર્ષની યુવા વયે ગારડી એવોર્ડ, રાજ્ય અને ભારત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, જીવદયા અને ગૌસેવા પ્રવૃતિઓમાં અનેકવાર સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે લોહાણા મહાપરિષદનો વિશિષ્ઠ રઘુવંશી પ્રતિભા તરીકેનો અને શ્રેષ્ઠ ગૌ સેવક તરીકેનો પ્રતિષ્ઠિત, ઇન્ટરનેશનલ એવોર્ડ બે વાર મળ્યો છે.

અનેક સેવાકીય સંસ્થાઓ-ટ્રસ્ટમાં ટ્રસ્ટી પ્રમુખ તરીકે કાર્યરત
સેવાકીય પ્રવૃતિ માટે જાણીતા મિતલભાઈ અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. તેઓ ભારત સરકારના પશુપાલન મંત્રાલયમાં માનદ સલાહકાર તો છે તે ઉપરાંત તેઓ ભારત સરકારના એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમિટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય, રાજ્ય સરકારના સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડમાં સભ્ય, પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સેક્રેટરી, ગ્લોબલ ક્નફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝના જનરલ સેક્રેટરી, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી, વેજીટેરિયન સોસાયટીના સ્થાપક સહિત અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના પ્રમુખ, છેલ્લા પાંચ વર્ષથી રાજકોટના આંગણે વિશ્વ લોહાણા જ્ઞાતિ ભોજન-મહાપ્રસાદનો પ્રારંભ કરાવી દર વર્ષે લાખો રઘુવંશીઓને એક સાથે, એક સ્થળે એક સમયે સમૂહ ભોજન કરાવી એકતાના સૂત્રે બાંધવા આયોજક, ઉદઘોષક તરીકેની જવાબદારી સાંભળી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

મલ્લિકાર્જુન ખડગેને Zપ્લસ સુરક્ષા

Next

રાજકોટના ૩ પોલીસ સ્ટેશનમાં સેક્નડ પીઆઇ મૂકાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
13 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
13 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
13 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

રાજકોટ: આ સાધનો આગ બૂઝાવી શકે તેમ નથી!!
રાજકોટ
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને અજીત પવાર જૂથના ધારાસભ્ય નરહરીએ મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી, જાળીમાં ફસાઈ ગયા
Breaking
10 મહિના પહેલા
પહેલગામ આતંકી હુમલાની તપાસમાં અત્યાર સુધી શું બહાર આવ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા ટાઇગર શ્રોફ અને અક્ષય કુમાર રામ મંદિર પહોચ્યા..જુઓ વીડિઓ
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર