ઘણા ક્ષત્રિયો મારા સમર્થનમાં છે : રૂપાલાનો દાવો
દિલ્હીથી પરત ફરેલા પુરુષોત્તમ રૂપાલાની બોડી લેન્ગવેજ સ્ટ્રોંગ
મારે ક્ષત્રિય આગેવાનોના નામ લઈને આગમાં ઘી નથી હોમવુ
રાજકોટમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલન અને વિવાદ વચ્ચે દિલ્હીમાં કેબીનેટની બેઠકમાં હાજરી આપીને પરત ફરેલા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ સ્પષ્ટ કહ્યું હતું કે, મને ક્ષત્રીય સહિતના સમાજનો ટેકો છે અને મારે હવે તેમના નામ લઈને આગમાં ઘી નથી હોમવુ.તેમણે કહ્યું હતું કે, મને ક્ષત્રિય સમાજના અનેક અગ્રણીઓનું સમર્થન છે અને ભૂતકાળમાં મેં તેમના નામ પણ લીધા છે. પરંતુ હવે અત્યારે નામ લઈને મારે કશું કહેવું નથી.
પુરુષોત્તમ રૂપાલાએ એરપોર્ટ ઉપર પત્રકારોને કહ્યું હતું કે, “મને તમામ સમાજનું અને ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું પણ સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવું નથી, વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ આશય નથીઃ” આ સાથે તેમણે આ મુદ્દાને વધુ હવા ન આપવા મીડિયાને પણ સલાહ આપી દીધી; હતી.
દરમિયાન 7 એપ્રિલે સુરતમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે..સુરતના મોટા વરાછાના ગોપીન ગામમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં પાટીદાર સહિતના સૌરાષ્ટ્રવાસીઓને ઉપસ્થિત આહવાન આપવામાં આવ્યું છે.