રાતૈયા ગામે ઝાડ સાથે ફાસો ખાઈ કામદાર કોલેજના વિધાર્થીનો આપઘાત
પાંચ દિવસ પૂર્વે કોલેજના પ્રિન્સીપાલ ઘરે જવાનું કહી નીકળેલા નર્સિંગ છાત્રના આપઘાત અંગે રહસ્ય
રાજકોટના હરીપર પાળ ગામે આવેલ કામદાર કોલેજમાં નર્સિંગમાં અભ્યાસ કરતા મૂળ લીંબડીના ચોકી ગામના વતની રૂત્વીક ભરતભાઈ મેટલીયા (ઉ.19)નામના છાત્રાએ લોધીકા નજીક આવેલ રાતૈયા ગામની સીમમાં ઝાડ પર લુંગી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મેટોડા જીઆઈડીસી પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતકના પિતા ખેતીકામ કરે છે યુવક બે ભાઈમાં નાનો અને નર્સીંગના બીજા વર્ષમાં કામદાર કોલેજમાં અભ્યાસ કરતો અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો. પાંચ દિવસ પૂર્વે તે કોલેજના પ્રિન્સીપાલ પાસે રજા લઇને ઘરે જવાનું કહીને નિકળ્યા બાદ આપઘાત કરી લીધો હતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ ચાલુ રાખી છે.