દોષનો ટોપલો ટ્રાફિક પોલીસ પર ઢોળવાને બદલે આપણે પણ સુધરવાની જરૂર
- ટ્રાફિકજામ અને અકસ્માત માટે કેટલાક
- બેદરકાર વાહનચાલકો પણ જવાબદાર

રાજકોટમા વધતી જતી ટ્રાફિક સમસ્યા પાછળ માત્ર શહેરની વસ્તી વધવી, વાહનોની સખ્યામા વધારો થવો જ નથી પરતુ આ સમસ્યા પાછળનુ એક કારણ એ પણ છે કે કેટલાક શહેરીજનોને “સુધરવુ” જ નથી અને નિયમોનુ પાલન કરવુ જ નથી. એ પણ છે.
ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ બધ હોવા છતા કેટલાક લોકોને એટલી બધી ઉતાવળ હોય છે કે તેઓ સિગ્નલ તોડીને નીકળી જાય છે. આવા સમયે જે સાઈડ શરૂ હોય ત્યાથી પસાર થતા વાહનો વચ્ચે આવા ઉતાવળિયા લોકો આવી જાય છે અને નિયમોનુ પાલન કરતા લોકો પણ ટ્રાફિકજામમા ફસાય છે. આવા જ લોકો અક્સ્માતનુ કારણ પણ બને છે.

ટ્રાફિકના નિયમોનુ પાલન ન કરનારા અને ટ્રાફિક સમસ્યા નિવારવા શહેરના મોટાભાગના ટ્રાફિકવાળા વિસ્તારોમા સિગ્નલ મૂકવામા આવ્યા છે. ઉપરાત સીસીટીવી કેમેરા પણ રાખવામા આવ્યા છે. નિયમોનુસાર ઈ-મેમો પણ વાહનચલકોના ઘરે મોકલવામા આવે છે. જે જગ્યાએ સિગ્નલ નથી અને વાહનચલકોની અવર-જવર વધુ રહે છે તેવી જગ્યાએ ટ્રાફિક પોલીસ અને વોર્ડન ફરજ બજાવે છે. ટ્રાફિક પોલીસ ટ્રાફિક હળવો કરવા પોતાની ફરજ બજાવે છે પરતુ કેટલાક વાહનચાલકો જ નિયમોનો ઉલાળિયો કરે અને સમસ્યા સર્જે છે.

“વોઇસ ઓફ ડે” દ્વારા તાજેતરમા પણ શહેરના જિલ્લા પચાયત ચોકમા ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરતા વાહનચાલકોની બેદરકારી દર્શાવી હતી ત્યારે વધુ એકવાર કેટલાક વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા કેમેરામા કેદ થયા હતા.

શહેરના કડવીબાઈ સ્કૂલ પાસેના (ઢેબર રોડ) નાગરિક બેન્ક ચોકમા ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ હોવા છતા કેટલાક વાહનચાલકો જ ચાલુ વાહને ફોનમા વાત કરતા તો વળી સિગ્નલ બધ હોવા છતા સિગ્નલ તોડી પસાર થતા જોવા મળ્યા હતા. સિગ્નલ તોડીને જોખમી રીતે પસાર થતા આવા વાહનચાલકો અક્સ્માતનુ પણ કારણ બનતા હોય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યા માટે દોષનો ટોપલો ટ્રાફિક પોલીસ કે વોર્ડન ઉપર ઢોળવાને બદલે આપણે પણ સુધરવાની જરૂર છે.