રીબડામાં જમીન વેચવી હોય તો 7 લાખ આપવા પડશે
રાજકોટના વેપારીની પાસે ખંડણી માંગનાર ભૂ માફિયા સામે ફરિયાદ
રાજકોટના કોઠારીયા રોડ ઉપર મેઘાણીનગરમાં રહેતા અને ભક્તિનગર સ્ટેશન પ્લોટમા પેન્ટાગોન પેપર નામથી હોલસેલનો વેપાર કરતાં વેપારીની વિપુલભાઇ વલ્લભભાઇ વણપરીયાની રીબડા માં આવેલી જમીન વેચાતા ભૂમાફિયા મુકેશ બચુ દોંગાએ રૂ.7 લાખની ખંડણી માંગનાર સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વિપુલભાઇ વલ્લભભાઇ વણપરીયાએ ફરીયાદમાં જણાવ્યું કે રીબડા ખાતે રેવન્યુ સર્વે નંબર- ૩૦૨ પૈકી ૧,૨,૩,૪,૫,૬ ની કુલ ૨૨ વિઘા જામીન જે પાચ ભાઇઓના વારસાઇ હોય તે બે મહીના પહેલા પિતાએ જમીન વેચી નાખેલ હતી. જેની કિમત રૂ. ૩૭ લાખ આવી હતી. જે બાબતે મુકેશભાઇ બચુભાઇ દોગાએ ફોન કરી વિપુલભાઈના પિતાને તમેરીબડામાં જમીન વેચેલ છે તમારે બધાની જેમ મને એક એકરે એક લાખ લેખે 7 લાખ રૂપીયા આપવા પડશે તે કહી ખંડણી માંગી ધમકી આપી હતી.
બાદમાં વેપારી વિપુલભાઈને ફોન ઉપર અવાર નવાર મુકેશભાઇ દોંગા ફોન કરી જમીન વેચેલ છે તેના માટે ખંડણી માંગી અને જીવવુ હોય તો રૂપીયા આપવા પડશે તેવી ધમકી આપતા બ્લોક લીસ્ટ મા નાખી દેતા મુકેશ પાંચ દિવસ પૂર્વે ઘરના બધા સભ્યો તથા શેરીના માણસો બેસેલ હતા ત્યારે ઘરે એકટીવા લઇને આવેલ હતો અને બધાને જાહેરમાં ધમકી આપી તમે ગામડે જમીન વેચેલ છે તેના તમારે અમને અમારા ગૃપને રૂ. ૭ લાખ આપવા પડશે જેથી પરિવારજનોએ કઇ બાબતના રૂપીયા આપવાના તેવુ પુછતા તે કહેવા લાગેલ કે, ગામમા કોઇ પણ જામીન વેચે એટલે અમને કમીશન પેટે બધા રૂપીયા આપે છે તેમ કહી ખૂનની ધમકી આપી ભાગી ગયો હતો. આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.