રાજકોટ આઇટી વિભાગને વેપારીનું ૧૦ તોલા સોનું રીલીઝ કરવા હાઇકોર્ટનો હુકમ
2017ની વિધાનસભાની ચુંટણી સમયે એરિપોર્ટ ઉપર પાર્સલમાં આવેલ સોનું જપ્ત કર્યું હતું
રાજકોટ એરપોર્ટ પરથી વિધાનસભાની ચૂંટણી વખતે વર્ષ ૨૦૧૭ માં જપ્ત કરવામાં આવેલ ૧૦ તોલા સોનું વેપારીને પરત કરવા માટે ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.
રાજકોટ આયકર વિભાગનીઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા રાજકોટ એરપોર્ટ ઉપર તારીખ ૨૭.૧૦.૨૦૧૭ ના રોજ વેપારીનું પાર્સલ આવ્યું હોય જેને લેવા આવેલ તેના કર્મચારીને અટકાવી તલાશી લેતા પ્રવીણભાઈ ગિરધારીલાલ અગરવાલ સોનાનું પાર્સલ મળ્યું હોય તેને જપ્ત કરવામાં આવ્યું હતું.ત્યારબારઆકારણી દરમ્યાન ૭૨૦.૩૪૦ ગ્રામ ગોલ્ડ નું એડીશન કરી અને ટેકસ , વ્યાજ અનેપેનલ્ટી ની નોટીસ આપવામાં આવેલ જેની સામે કરેલ અપીલ ચાલી જતા એડીશન અનેબધીજ ટેકસ , વ્યાજ અને પેનલ્ટી ની ડીમાંડ રદ થઇ ગયેલ. ત્યારબાદ ગોલ્ડ વેલરીને રીલીઝ કરવા માટે અરજી કરવામાં આવેલ પરંતુ આયકર વિભાગ દ્રારા ૬૧૯.૯૯૦સોનું રીલીઝ કરવામા આવેલ પરંતુ ૩૭ લાખ થી વધુનોનો ટેકસ , વ્યાજ અને પેનલ્ટી ભરવાના ૧૦૦.૩૫૦ ગ્રામ સોનું રીલીઝ કરવામાં આવ્યુંન હોય આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવતા ૧૦ તોલા સોનું રીલીઝ કરવા હરકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.