રાજકોટમાં કારખાનેદાર અને મહિલા સહિત પાંચના હાર્ટ એટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમા હાર્ટ એટેકના વધતા બનાવોથી તત્રમા દોડધામ મચી ગઈ છે. જેમા વધુ પાચ બનાવ સામે આવ્યા છે. પ્રથમ બનાવની વિગતો મુજબ રણછોડ નગરમા રહેતા અને ઇમિટેશનનુ કારખાનુ ધરાવતા વિપુલભાઈ કેશુભાઈ સખિયા નામના ૪૦ વર્ષીય પ્રૌઢ ગઇકાલે ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન થઈને ઢળી પડ્યા હતા. અને તેમનુ મોત નીપજ્યુ હતુ.
બીજા બનાવમા ગ્રીન લેન્ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ ગોવાણી ઉ.વ.૩૭ પોતાના ઘરે હતો ત્યારે સાજના હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડ્યો હતો.અને મોત નીપજ્યુ હતુ. ત્રીજા બનાવમા માર્કેટીંગ યાર્ડ પાછળ મન્છાનગરમાં રહેતા મેરૂભાઈ રાજાભાઈ લુણી ઉ.વ.૪૧ પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે બેભાન હાલતમા ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. જ્યા ફરજ પરના તબીબે જોઈ તપાસી મેરુભાઈનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ હોવાનુ જાહેર કરતા પરિવારમા ગમગીની છવાઈ જવા પામી છે.
ચોથા બનાવમા રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમા રહેતા રમેશભાઈ રણછોડભાઈ મહેતા ઉ.વ.૫૩ પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તેમને બેભાન હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યા તેમનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે પાચમા બનાવમા ભિસ્તીવાડમાં રહેતા રૂકસાનાબેન શાજીદભાઈ જુણાચ નામના મહિલા પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ ઢળી પડતા સારવારમા ખસેડાયા હતા.જ્યા તેમનુ મોત થયુ હતુ. બનાવથી પરીવારમા માતમ છવાયો છે.