રાજકોટમાં રોગચાળો વકર્યો : તાવની બીમારીથી 22 વર્ષીય યુવકનું મોત
અટીકા ઇન્ડસ્ટ્રીમાં રહેતા યુવકને ચાર દિવસ તાવ આવ્યા બાદ સારવારમાં જીવ ગયો
રાજકોટમાં રોગચાળો વધી રહ્યો હોય તેમ કોલેરા, ડેન્ગ્યુ સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અટીકા ઇન્ડસ્ટ્રીમાં રહેતા 22 વર્ષના યુવાનનું તાવમાં સપડાયા બાદ મોત આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
વિગત મુજબ અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર- 4માં રહેતો રમેશ રામપાલ સોનકર (ઉ.વ.22)ને ગઈકાલે રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. અને અહી ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતોઆ મામલે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,મૃતક રમેશ અપરણીત છે. તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. રાજકોટમાં ઘણા સમયથી રહી તે મજૂરી કામ કરતો હતો. ચારેક દિવસથી તેની તબિયત ખરાબ હતી. તેણે નજીકના કોઈ ક્લિનિકમાંથી દવા લીધી હતી પરંતુ ફેર પડ્યો નહોતો. તેને સતત તાવ વધી રહ્યો હતો.ગઈકાલે તે પોતાની ઓરડીમાં હતો ત્યારે અચાનક બેભાન થઈ જતા તત્કાલ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને અહી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.