જુનાગઢ દામોદર કુંડમાં દેખાયો મગર, લોકો વચ્ચે આવી ચડતા ભાગાભાગી થઈ
જૂનાગઢના દામોદર કુંડમાં મગર જોવા મળતા સ્નાન કરતા શ્રદ્ધાળુઓના જીવ ઉંચા થઈ ગયા હતા. દામોદર કુંડમાં અચાનક જ મગર જોવા મળ્યો હતો. શ્રાવણ માસ હાલમાં ચાલી રહ્યો છે અને જૂનાગઢમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહી છે. જૂનાગઢના ગીરનારના દર્શને ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. અહીં ભક્તો ગીરનાર પર્વતની તળેટીમાં રહેલા દામોદર કુંડમાં સ્નાન કરતા હોય છે. દામોદર કુંડનુ સ્નાન કરવાનુ ખૂબ જ મહત્વનુ છે.
જોકે દામોદર કુંડમાં મગર આવ્યો હોવાનુ જોવા મળતા જ ભક્તો અને શ્રદ્ધાળુઓના જીવ ઉંચા થઈ ગયા હતા. સ્નાન કરતા શ્રદ્ધાળુઓ વચ્ચે જ આ મગરના દ્રશ્ય જોવા મળ્યુ હતુ. લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે મગર થોડી વારમાં જ કૂંડથી દૂર ચાલ્યો જતા જ રાહત સર્જાઈ હતી. એક સમયે તો મગરને જોઈને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.