રાજકોટ એઇમ્સ માટે ક્નટેનર મોબાઇલ હોસ્પિટલ અને BSL-૩ લેબ મંજૂર
- કોઈપણ કટોકટીના સમયે ક્નટેનર મોબાઈલ હોસ્પિટલ દોડાવાશે: રાજકોટ અને
- ભુવનેશ્વર એઈમ્સમાં જ આ સુવિધા: ૧૭ કરોડના ખર્ચે અદ્યતન લેબ ઊભી કરાશે
આગામી તા. ૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખુલ્લી મુકાનાર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)ના માઇક્રોબાયોલોજી વિભાગમાં ૧૭ કરોડ રૂપિયાના ખર્ચે બાયોસેફ્ટી લેવલ-૩ (બીએસએલ-૩) લેબોરેટરી સ્થાપવાની મંજુરી મળી છે.તો હાલમાં દેશમાં જે નવી નવી એઈમ્સ બની રહી છે અથવા શરુ થઇ છે તેમાં આ પ્રકારની સુવિધા નથી અને ગુજરાતમાં પણ કોઈ સ્થળે આ પ્રકારની લેબ નથી. આમ રાજકોટ એઈમ્સમાં તબીબી ક્ષેત્રે એક વધારાની સુવિધા પ્રાપ્ત થઇ છે. તો બીજી બાજુ મોબાઈલ ક્નટેનર હોસ્પિટલ પણ મંજુર થઇ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, દેશની બે એઈમ્સ રાજકોટ અને ભુવનેશ્વરમાં જ ક્નટેનર મોબાઈલ હોસ્પિટલને મંજુરી આપવામાં આવી છે. કોઈ પણ કટોકટીના સમયે આ હોસ્પિટલ દોડાવાશે. અલગ અલગ ક્નટેનરમાં ઓપરેશન થીયેટર, ઓ.પી.ડી. સહિતની સુવિધા હશે. અલગ અલગ વિસ્તારમાં આ મોબાઈલ હોસ્પિટલ પહોચી શકશે. રાજકોટ એઈમ્સ માટે -૩ લેબ પ્રધાન મંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (ઙખ-અઇઇંઈંખ) યોજના હેઠળ મંજુર થઇ છે અને તેમાં હવામાંથી પેદા થતા જીવલેણ વાયરસની તપાસ અને તેનો તોડ શું છે તેનું સંશોધન થશે. આ લેબમાં અદ્યતન એર ફિલ્ટરેશન સિસ્ટમ્સ, સુરક્ષિત ઍક્સેસ સહિતની બાયો સેફટીની તમામ સુવિધા ઉપલબ્ધ હશે.આ લેબની સુવિધા શરુ થતા દર્દીઓએ જુદા જુદા ટેસ્ટ માટે જુદી જુદી લેબમાં નહી જવું પડે અને એક જ લેબમાં તમામ પ્રકારના ટેસ્ટ થઇ શકશે.
આ પ્રોજેક્ટની સફળતા એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રો. ડૉ. (કૉનલ) સીડીએસ કટોચના દૂરંદેશી નેતૃત્વ અને માઇક્રોબાયોલોજી વિભાગના વડા અને બીએસએલના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર પ્રો. ડૉ. અશ્વિની અગ્રવાલના અથાગ પ્રયત્નોનું ફળ છે.
ઙખ-અઇઇંઈંખ યોજના હેઠળ લેબની સ્થાપના ભારતના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ છે. તે અદ્યતન તબીબી સંશોધન સુવિધાઓમાં રોકાણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, આત્મનિર્ભરતા, નવીનતા અને ચેપી રોગો સામે સજ્જતા પર ભાર મૂકે છે. બીએસએલ-૩ પ્રયોગશાળા આ વિઝનમાં એક મહત્વપૂર્ણ ઘટક છે, જે ઉચ્ચ સ્તરીય સંશોધન કરવા અને વાયરલ પેથોજેન્સની શ્રેણી સામે અસરકારક નિદાન અને ઉપચારાત્મક વ્યૂહરચના વિકસાવવાની દેશની ક્ષમતામાં વધારો કરે છે.